મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાચાવદરડા ગામે મજૂરીકામ કરતાં પરિવારની સગીર વયની દીકરીએ ઝેરી દવા પી લેતા મોત


SHARE













માળીયા (મી)ના ચાચાવદરડા ગામે મજૂરીકામ કરતાં પરિવારની સગીર વયની દીકરીએ ઝેરી દવા પી કર્યો આપઘાત

માળીયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની  સગીર વયની દીકરીએ તેના માતા પિતા ને વહેલી સવારે ફોન ઉપર વાત કરીને કામ ઉપરથી ઘરે પાછા આવવા માટે કહ્યું હતું જો કે, માતા પિતાએ ઘરે આવવાની ના પાડી હતી જેથી લાગી આવતાં સગીરાએ પોતે પોતાની જાતે કારખાના પાછળના ભાગમાં આવેલ ખેતરમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી સિવિલે લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામે ખ્રિશા પોલિમર્સ કારખાનાની ઓરડીમાં રહેતા કાળુભાઈ ચમરીયાભાઈ મચાર (55) વાળાની 16 વર્ષની દીકરી અનિતાબેન કાળુભાઈ મચાર એ કારખાને પાછળના ભાગમાં ખેતરમાં પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી જેથી આ બનાવની સગીરાના પિતા કાળુભાઈ મચાર દ્વારા માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક સગીરાએ તારીખ 30/5 ના રોજ વહેલી સવારે તેના માતા-પિતા સાથે ફોનમાં વાત કરી હતી અને પોતાના કામ પરથી ઘરે પાછા આવવા માટે માતા-પિતાને કહ્યું હતું ત્યારે માતા પિતાએ કામ પરથી ઘરે આવવાની ના પાડતા તે બાબતે લાગી આવ્યું હતું જેથી કરીને સગીરાએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે જે અંગેની માળિયા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News