મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાચાવદરડા ગામે મજૂરીકામ કરતાં પરિવારની સગીર વયની દીકરીએ ઝેરી દવા પી લેતા મોત


SHARE

















માળીયા (મી)ના ચાચાવદરડા ગામે મજૂરીકામ કરતાં પરિવારની સગીર વયની દીકરીએ ઝેરી દવા પી કર્યો આપઘાત

માળીયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની  સગીર વયની દીકરીએ તેના માતા પિતા ને વહેલી સવારે ફોન ઉપર વાત કરીને કામ ઉપરથી ઘરે પાછા આવવા માટે કહ્યું હતું જો કે, માતા પિતાએ ઘરે આવવાની ના પાડી હતી જેથી લાગી આવતાં સગીરાએ પોતે પોતાની જાતે કારખાના પાછળના ભાગમાં આવેલ ખેતરમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી સિવિલે લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામે ખ્રિશા પોલિમર્સ કારખાનાની ઓરડીમાં રહેતા કાળુભાઈ ચમરીયાભાઈ મચાર (55) વાળાની 16 વર્ષની દીકરી અનિતાબેન કાળુભાઈ મચાર એ કારખાને પાછળના ભાગમાં ખેતરમાં પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી જેથી આ બનાવની સગીરાના પિતા કાળુભાઈ મચાર દ્વારા માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક સગીરાએ તારીખ 30/5 ના રોજ વહેલી સવારે તેના માતા-પિતા સાથે ફોનમાં વાત કરી હતી અને પોતાના કામ પરથી ઘરે પાછા આવવા માટે માતા-પિતાને કહ્યું હતું ત્યારે માતા પિતાએ કામ પરથી ઘરે આવવાની ના પાડતા તે બાબતે લાગી આવ્યું હતું જેથી કરીને સગીરાએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે જે અંગેની માળિયા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News