વાંકાનેર-રાજકોટ હાઇવે પરના ટાટીયા તોડ સ્પીડ બ્રેકરો જીવલેણ બને તે પહેલા તંત્ર સફેદ પટ્ટા-રેડિયમ રિફલેકટર મૂકવાની માંગ મોરબીમાં નવલખી ફાટક પાસેથી દારૂ ભરેલ ગાડી સાથે મહિલા પકડાઈ, 4.30 લાખનો મુદામાલ કબ્જે: એક આરોપીની શોધખોળ મોરબીમાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી: પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો ૭ દિવસમાં પોલીસ સ્ટેશનમાં આપવા જાહેનામું પ્રસિદ્ધ મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસીસનું આયોજન કરાયું મોરબી: ગુજરાતમાં પીટીસીમાં એડમીશન માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન પરેશાન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાચાવદરડા ગામે મજૂરીકામ કરતાં પરિવારની સગીર વયની દીકરીએ ઝેરી દવા પી કર્યો આપઘાત


SHARE



















માળીયા (મી)ના ચાચાવદરડા ગામે મજૂરીકામ કરતાં પરિવારની સગીર વયની દીકરીએ ઝેરી દવા પી કર્યો આપઘાત

માળીયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની  સગીર વયની દીકરીએ તેના માતા પિતા ને વહેલી સવારે ફોન ઉપર વાત કરીને કામ ઉપરથી ઘરે પાછા આવવા માટે કહ્યું હતું જો કે, માતા પિતાએ ઘરે આવવાની ના પાડી હતી જેથી લાગી આવતાં સગીરાએ પોતે પોતાની જાતે કારખાના પાછળના ભાગમાં આવેલ ખેતરમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી સિવિલે લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામે ખ્રિશા પોલિમર્સ કારખાનાની ઓરડીમાં રહેતા કાળુભાઈ ચમરીયાભાઈ મચાર (55) વાળાની 16 વર્ષની દીકરી અનિતાબેન કાળુભાઈ મચાર એ કારખાને પાછળના ભાગમાં ખેતરમાં પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી જેથી આ બનાવની સગીરાના પિતા કાળુભાઈ મચાર દ્વારા માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક સગીરાએ તારીખ 30/5 ના રોજ વહેલી સવારે તેના માતા-પિતા સાથે ફોનમાં વાત કરી હતી અને પોતાના કામ પરથી ઘરે પાછા આવવા માટે માતા-પિતાને કહ્યું હતું ત્યારે માતા પિતાએ કામ પરથી ઘરે આવવાની ના પાડતા તે બાબતે લાગી આવ્યું હતું જેથી કરીને સગીરાએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે જે અંગેની માળિયા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News