ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી એબીવીપીએ જીટીયુ દ્વારા લેવાયેલ પરીક્ષામાં છબરડા મામલે આવેદનપત્ર પાઠવ્યું


SHARE













મોરબી એબીવીપીએ જીટીયુ દ્વારા લેવાયેલ પરીક્ષામાં છબરડા મામલે આવેદનપત્ર પાઠવ્યું

ગુજરત ટેકનોલોજીકલ યુનીવર્સીટી (જીટીયુ) દ્વારા લેવામાં આવેલ ડીપ્લોમાં સેમ.-2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયની પરીક્ષાના પ્રશ્નપત્રમાં છબરડા હતો તે મામલે મોરબી એબીવીપી દ્વારા જીટીયુના કુલપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે આવેદનપત્રમાં લખ્યું છે કે, તા. 29/5 ના રોજ ડીપ્લોમાં સેમ.-2 ના એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયના પ્રશ્નપત્રમાં ૩૦ માર્કસના ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો સુધારો યુનીવર્સીટી દ્વારા 12:26 કલાકે મેઈલ દ્વારા આપવામાં આવે છે. જે વર્ગખંડ સુધી પહોંચતા 12:45 થઇ હતી જયારે બીજો મેઈલ 12:31 કલાક આવેલ છે અને ત્રીજો મેલ 12:56 કલાકે આવ્યો હતો આમ જીટીયુની ગંભીર બેદરકારીના કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમાં ચાલ્યા ગયા છે. ત્યારે જીટીયુ દ્વારા એપ્લાઇડ મેથેમેટિક્સ વિષયમાં મહત્તમ ગ્રેસીંગ આપવામાં આવે અને જે વિદ્યાર્થીઓને પુનઃ પરીક્ષા આપવી હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે વિકલ્પ આપવામાં આવે તેવી માંગ મોરબી એબીવીપી દ્વારા કરવામાં આવેલ છે.






Latest News