મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે ચાર દિવસીય આચાર્ય પ્રશિક્ષણ (ટીચર્સ ટ્રેનિંગ)નું આયોજન કર્યું હતું જેમાં વિવિધ વક્તાઓ દ્વારા શાળાના તમામ શિક્ષકોને માર્ગદર્શન તેમજ બાળકોને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી શિક્ષણ પદ્ધતિઓ વિષેની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ તા. 4 થી 6 દરમ્યાન યોજાયો હતો અને વક્તા અમિતભાઈ દેસાઈ દ્વારા યોગ અને શિક્ષકની માહિતી આપવાની આવી હતી. તેમજ વન્યાબેન પરમારે શિક્ષણમાં પ્રવૃત્તિ અને પ્રયોગો વિશે ઊંડાણ પૂર્વક વિચારો રજૂ કર્યા હતા. તો ઘનશ્યામભાઈ ડાંગર દ્વારા શિક્ષક-પ્રવાસ, વાંચન અને અધ્યાત્મ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. અને ડો.સતિષભાઈ પટેલ દ્વારા એકડે એક થી પેરેન્ટિંગપુસ્તકનો અમલ કઈ રીતે ? How can teachers help in parenting? વિશે ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમજ પ્રાથમિક વિભાગના પ્રિન્સીપાલ વિવેકભાઈ શુકલશિક્ષક માટે અનિવાર્ય -ભાષાશુદ્ધિની ખૂબ જ ઉપયોગી સમજૂતી આપવામાં આવી હતી. તેવી માહિતી શાળાના સંચાલક કિશોરભાઇ શુકલ દ્વારા આપવામાં આવી હતી. 






Latest News