મોરબીમાં યુવાન સાથે કરાયેલ 20.57 લાખની છેતરપિંડીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે
મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનનું વિશ્વ રક્તદાતા દિવસે પ્રથમ સ્નેહમિલન યોજાશે
SHARE









મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનનું વિશ્વ રક્તદાતા દિવસે પ્રથમ સ્નેહમિલન યોજાશે
મોરબીના બાયપાસ રોડે આવેલ પંચાસર ચોકડી પાસે સતવારા સમાજની વાડી ખાતે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીમાં ગમે ત્યારે દર્દીને લોહીની જરૂર ઊભી થાય એટ્લે પહેલું નામ યુવા શક્તિ ફાઉન્ડેશનનું યાદ આવે છે આ ગ્રૂપ દ્વારા દર્દીઓને તાત્કાલિક લોહીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે ત્યારે આ ગ્રૂપની સાથે જોડાયેલા લોકોના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આગામી તા. 14 જૂન ને શનિવારના રોજ પ્રથમ સ્નેહમિલન રાખવામા આવ્યું છે જે મોરબીના બાયપાસ રોડે આવેલ પંચાસર ચોકડી પાસે સતવારા સમાજની વાડી ખાતે રાખવામા આવ્યું છે અને તે દિવસે સાંજે 7 થી 8 વાગ્યા સુધી ભોજન સમારોહ અને ત્યારબાદ સ્નેહ મિલનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી મહાપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ ખાતે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં “રકતદાન મહાદાન” ની ઉકિતને સાર્થક કરતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ અન્ય લોકોએ રકતદાન કર્યું હતું.

