મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનનું વિશ્વ રક્તદાતા દિવસે પ્રથમ સ્નેહમિલન યોજાશે


SHARE













મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનનું વિશ્વ રક્તદાતા દિવસે પ્રથમ સ્નેહમિલન યોજાશે

મોરબીના બાયપાસ રોડે આવેલ પંચાસર ચોકડી પાસે સતવારા સમાજની વાડી ખાતે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં ગમે ત્યારે દર્દીને લોહીની જરૂર ઊભી થાય એટ્લે પહેલું નામ યુવા શક્તિ ફાઉન્ડેશનનું યાદ આવે છે આ ગ્રૂપ દ્વારા દર્દીઓને તાત્કાલિક લોહીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે ત્યારે આ ગ્રૂપની સાથે જોડાયેલા લોકોના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આગામી તા. 14 જૂન ને શનિવારના રોજ પ્રથમ સ્નેહમિલન રાખવામા આવ્યું છે જે મોરબીના બાયપાસ રોડે આવેલ પંચાસર ચોકડી પાસે સતવારા સમાજની વાડી ખાતે રાખવામા આવ્યું છે અને તે દિવસે સાંજે 7 થી 8 વાગ્યા સુધી ભોજન સમારોહ અને ત્યારબાદ સ્નેહ મિલનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી મહાપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ ખાતે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં “રકતદાન મહાદાન” ની ઉકિતને સાર્થક કરતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ અન્ય લોકોએ રકતદાન કર્યું હતું.






Latest News