માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ-IMA દ્વારા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન


SHARE











મોરબીમાં ભારત વિકાસ પરિષદ-IMA દ્વારા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન

મોરબીમાં ભારત વિકાસ પરિષદ અને આઇએમએ દ્વારા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે.

મોરબીના રવાપર રોડે આવેલ આઇએમએના હોલમાં આગામી તા 17 જુનના રોજ રાત્રે 9થી 10:30 સુધી શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શું આપ શ્રેષ્ઠ સંતાન માટેના પ્રયત્નો કરો છો ?શું આપ આપની ડિલીવરી સુખરૂપ અને કુદરતી માર્ગે થાય તેવું ઈચ્છો છો ? શું આપ શ્રેષ્ઠ સંતતિ માટે વૈદિક ગર્ભવિજ્ઞાન જાણવા ઈચ્છો છો ? તો આ ગર્ભસંસ્કાર કાર્યશાળામાં ભાગ લઈ શકાય છે. આ સેમિનારમાં ડૉ. જયેશભાઈ પનારા અને ડૉ. ચિરાગભાઈ વિડજા મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક છે જો કે, તેના માટે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. અને રજીસ્ટ્રેશન કરવા માટે મો.નં. 79848 40322 તથા 95376 65500 ઉપર વોટ્સએપ મેસેજ કરવાનો છે આ સેમિનારમાં શ્રેષ્ઠ સંતાન માટે વિચારી રહેલ દંપતીઓ, ગર્ભવતી મહિલાઓ તથા તેમના પતિદેવો, વૈદિક ગર્ભ વિજ્ઞાન જાણવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિઓ આવી શકે છે. તેમ ભારત વિકાસ પરિષદના પ્રમુખ હિંમતભાઈ મારવણિયા તેમજ ડૉ. ચિરાગભાઈ વિડજા, ધ્રુમિલભાઈ આડેસરા, આઇએમએના પ્રમુખ ડૉ. અંજનાબહેન ગઢીયા અને સેક્રેટરી ડૉ. હિનાબહેન મોરીએ જણાવ્યુ છે.






Latest News