મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ કંપનીની દાદાગીરી-પોલીસનું દમન: મોરબીના જેતપર ગામે પોતાના ખેતરમાં ગયેલ મહિલાઓ-ખેડૂતોને ટિંગા ટોળી કરીને બહાર કાઢ્યા, અણિયારી ચોકડી ચક્કાજામ ખોલવા પોલીસે કર્યો બળપ્રયોગ
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ-IMA દ્વારા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન


SHARE











મોરબીમાં ભારત વિકાસ પરિષદ-IMA દ્વારા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન

મોરબીમાં ભારત વિકાસ પરિષદ અને આઇએમએ દ્વારા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે.

મોરબીના રવાપર રોડે આવેલ આઇએમએના હોલમાં આગામી તા 17 જુનના રોજ રાત્રે 9થી 10:30 સુધી શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શું આપ શ્રેષ્ઠ સંતાન માટેના પ્રયત્નો કરો છો ?શું આપ આપની ડિલીવરી સુખરૂપ અને કુદરતી માર્ગે થાય તેવું ઈચ્છો છો ? શું આપ શ્રેષ્ઠ સંતતિ માટે વૈદિક ગર્ભવિજ્ઞાન જાણવા ઈચ્છો છો ? તો આ ગર્ભસંસ્કાર કાર્યશાળામાં ભાગ લઈ શકાય છે. આ સેમિનારમાં ડૉ. જયેશભાઈ પનારા અને ડૉ. ચિરાગભાઈ વિડજા મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક છે જો કે, તેના માટે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. અને રજીસ્ટ્રેશન કરવા માટે મો.નં. 79848 40322 તથા 95376 65500 ઉપર વોટ્સએપ મેસેજ કરવાનો છે આ સેમિનારમાં શ્રેષ્ઠ સંતાન માટે વિચારી રહેલ દંપતીઓ, ગર્ભવતી મહિલાઓ તથા તેમના પતિદેવો, વૈદિક ગર્ભ વિજ્ઞાન જાણવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિઓ આવી શકે છે. તેમ ભારત વિકાસ પરિષદના પ્રમુખ હિંમતભાઈ મારવણિયા તેમજ ડૉ. ચિરાગભાઈ વિડજા, ધ્રુમિલભાઈ આડેસરા, આઇએમએના પ્રમુખ ડૉ. અંજનાબહેન ગઢીયા અને સેક્રેટરી ડૉ. હિનાબહેન મોરીએ જણાવ્યુ છે.






Latest News