ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ-IMA દ્વારા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન


SHARE













મોરબીમાં ભારત વિકાસ પરિષદ-IMA દ્વારા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન

મોરબીમાં ભારત વિકાસ પરિષદ અને આઇએમએ દ્વારા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે.

મોરબીના રવાપર રોડે આવેલ આઇએમએના હોલમાં આગામી તા 17 જુનના રોજ રાત્રે 9થી 10:30 સુધી શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શું આપ શ્રેષ્ઠ સંતાન માટેના પ્રયત્નો કરો છો ?શું આપ આપની ડિલીવરી સુખરૂપ અને કુદરતી માર્ગે થાય તેવું ઈચ્છો છો ? શું આપ શ્રેષ્ઠ સંતતિ માટે વૈદિક ગર્ભવિજ્ઞાન જાણવા ઈચ્છો છો ? તો આ ગર્ભસંસ્કાર કાર્યશાળામાં ભાગ લઈ શકાય છે. આ સેમિનારમાં ડૉ. જયેશભાઈ પનારા અને ડૉ. ચિરાગભાઈ વિડજા મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક છે જો કે, તેના માટે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. અને રજીસ્ટ્રેશન કરવા માટે મો.નં. 79848 40322 તથા 95376 65500 ઉપર વોટ્સએપ મેસેજ કરવાનો છે આ સેમિનારમાં શ્રેષ્ઠ સંતાન માટે વિચારી રહેલ દંપતીઓ, ગર્ભવતી મહિલાઓ તથા તેમના પતિદેવો, વૈદિક ગર્ભ વિજ્ઞાન જાણવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિઓ આવી શકે છે. તેમ ભારત વિકાસ પરિષદના પ્રમુખ હિંમતભાઈ મારવણિયા તેમજ ડૉ. ચિરાગભાઈ વિડજા, ધ્રુમિલભાઈ આડેસરા, આઇએમએના પ્રમુખ ડૉ. અંજનાબહેન ગઢીયા અને સેક્રેટરી ડૉ. હિનાબહેન મોરીએ જણાવ્યુ છે.






Latest News