મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રકો ઉપર પ્રતિબંધ લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ


SHARE











મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રકો ઉપર પ્રતિબંધ લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ

મોરબી નવલખી બંદર ઈન્ડોનેશિયા કોલસાનું હબ ગણાય છે.આ ઈન્ડોનેશિયા કોલસા નવલખી બંદરથી મોરબીમાં અનેક જગ્યાએ કોલસો સપ્લાય થાય છે.આ કોલસો સપ્લાય કરવામાં માટે નવલખી રોડ ઉપર ખુલ્લા ટ્રક ખુબ જ પ્રમાણમાં અવરજવર કરે છે.આ ખુલ્લા ટ્રકોમાંથી ખૂબ જ પ્રમાણમાં કોલસો રોડ ઉપર પડે છે.જેનાં લીધે તે રોડ ઉપર અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાય છે.

આ રોડ ઉપરથી મોટરસાયકલ જેવા વહાનો ચલાવવા જીવના જોખમ સમાન છે.આ ખુલ્લા ટ્રક ઓવરલોડ અને ફુલ સ્પીડમાં ચલાવતા તે રોડ ઉપર પસાર થવું મુશ્કેલ પડે છે.આ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી રમેશભાઈ સદાતીયા કે જેઓ આ રોડ ઉપરના જ ખાખરાળા ગામના વતની છે તેમના દ્વારા તંત્ર અને આરટીઓ સહીત અનેક વિભાગમાં રજુઆતો કરી હતી.જેમાં આ ઓવર લોડ વાહનોને  આરટીઓ દ્વારા કેમ નજરઅંદાજ કરવામાં આવે છે ? ક્યાંક આરટીઓ અધીકારી હપ્તા લેતા હશે ? શું ભાજપના હોદ્દેદારો કે નેતાઓના આ ટ્રક હશે ? જેથી જવાબદાર અધિકારીઓ પગલાં નહીં લેતા હોય. ? મોરબી જિલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો કેમ મુક પ્રેક્ષક બનીને બેઠા છે.? શું આ લોકોની પણ મીલીભગત હશે ? આવા અનેક આક્ષેપો આપના હોદેદારોએ કર્યા છે અને સાથે સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો આ માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકો બંધ નહીં થાય તો ત્યાંનાં ગામડાનાં લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.જો કોઈ અનીચ્છનીય બનાવ બને તો તેની તમામ જવાબદારી લગત તંત્રની રહેશે.






Latest News