ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બુટલેગરે સરકારી જમીન ઉપર બનાવેલ મકાન પોલીસ-મામલતદારે તોડી પાડ્યું, 1 કરોડની જમીન દબાણ મુક્ત


SHARE













મોરબીમાં બુટલેગરે સરકારી જમીન ઉપર બનાવેલ મકાન પોલીસ-મામલતદારે તોડી પાડ્યું, 1 કરોડની જમીન દબાણ મુક્ત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કાંતિનગરમાં સરકારી જમીન ઉપર બુટલેગર દ્વારા રહેણાંક મકાનનું દબાણ કરવામાં આવ્યું હતું અને 150 ચોરસ મીટર જમીન ઉપર કરવામાં આવેલા દબાણને તોડી પાડવા માટે થઈને અગાઉ નોટિસ આપવામાં આવી હતી જોકે, દબાણ કરનાર શખ્સે પોતાનું દબાણ દૂર કર્યું ન હતું જેથી આજે ડીવાયએસપી, મામલતદાર અને પીઆઇ સહિતનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને સરકારી જમીન ઉપર કરવામાં આવેલ બાંધકામ ઉપર બુલડોઝર ફેરવીને અંદાજે એક કરોડ રૂપિયાની કિંમતની જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન ઉપર કરવામાં આવેલા દબાણને તોડી પાડવા માટે થઈને છેલ્લા ઘણા સમયથી કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કાંતિનગરમાં સરકારી જમીન ઉપર બુટલેગર અનવર હાજી માલાણી ઉર્ફે અનવર દડી દ્વારા રહેણાંક મકાનનું દબાણ કરવામાં આવ્યું હતું અને અંદાજે 150 ચોરસ મીટર સરકારી જમીન ઉપર તેણે રહેણાંક મકાન બનાવ્યું હતું જે દબાણને દૂર કરવા માટે થઈને અગાઉ મોરબી તાલુકા મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ દબાણ કરનાર શખ્સે જાતે પોતાનું દબાણ દૂર કરીને સરકારી જમીન ખુલી કરી ન હતી.

જેથી આજે મોરબીના ડિવાયાએસપી પી.એ. ઝાલા, મોરબી તાલુકા મામલતદાર એમ.ટી. ધનવાણી તથા બી ડિવિઝનના પીઆઇ એન.એ.વસાવા સહિતનો કાફલો બુલડોઝર સાથે સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ત્યાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ મકાનના દબાણને બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું અને વધુમાં મામલતદાર કચેરીના સ્ટાફ પાસેથી મળતી વિગત પ્રમાણે ડિમોલેશન કરીને અંદાજે એકાદ કરોડ રૂપિયાની કિંમતની જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે. અને દબાણ કરનાર શખ્સ પાસેથી સરકારના નિયમ મુજબ દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.






Latest News