મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ જેલ હવાલે
SHARE









મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ જેલ હવાલે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા લખધીરપુર રોડ ઉપર સિરામિક યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના પરિવારની ૧૪ વર્ષની સગીરાની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતુ તેથી ભોગ બનનારની માતા દ્વારા નોંધાવાયેલ ફરિયાદને પગલે તે ઇસમને પકડીને જેલ હવાલે કરાયો છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા એક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા પરિવારની ૧૪ વર્ષની સગીરા સાથે લેબર કવાટરમાં સાથે જ રહેતા અને ત્યાં કારખાનામાં મજૂરી કામ કરતા હરેન્દ્રસિંગ સોવરાનસિંગ નામના શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જે બાબતની વાત સગીરાએ પરિવારજનને કરતા તેણીની માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા દુષ્કર્મ-પોકસો સહિતની કલમો હેઠળ નોંધાયેલ ગુનામાં તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ દ્રારા હરેન્દ્રકુમાર સોવરનસિંગ (૨૦) રહે.હાલ લખધીરપુર રોડ મોરબી મુળ રહે. ને પકડીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કરતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
માળિયા મીંયાણા ખાતે માતમના ઓટાની પાસે પાસે રહેતો હારૂન દાઉદભાઈ મોવર નામનો ૪૨ વર્ષનો યુવાન બાઇકમાંથી પડી ગયો હતો જેથી તેને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જ્યારે થાનના સોનગઢ ગામે રહેતા જયરાજ વિનુભાઈ રંગપરા નામના ૧૮ વર્ષનો યુવાન સોનગઢ ગામ પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન હડફેટે ઇજા થતા સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
દવા પી જતા સારવારમાં
હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા રક્ષાબેન અરવિંદભાઈ રાઠવા નામની ૧૮ વર્ષની યુવતી ગત તા.૫-૬ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં કોઈ કારણસર ઘરે ઘાસમાં છાંટવાની દવા પી ગયેલ હોય તેને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અને સારવાર દરમિયાન રક્ષાબેન અરવિંદભાઈ રાઠવાનું મોત નિપજતા બનાવને પગલે જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી..
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ રહેતો સોનુભાઈ સલીમભાઈ મન્સૂરી નામનો ૨૨ વર્ષનો યુવાન જતો હતો ત્યાં રસ્તામાં કોઈ બાબતે મારામારીના બનાવમાં માથામાં ઇજા થવાથી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના મકનસર ગામે રહેતા શન્નીભાઈ બાબુભાઈ સુરેલા નામના ૨૩ વર્ષના યુવાનને પણ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજાએ નોંધ કરી તપાસ કરી હતી.

