મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલમાં છેવાડાના ગામ સુધી સિંચાઈનું પાણી પહોચતું જ નથી: ખેડૂતો હેરાન રાજકોટ લઈ જવાતો દારૂનો જથ્થો મોરબીના શનાળા પાસેથી ઝડપાયો: 6696 બોટલ દારૂ ભરેલ ટ્રક સહિત 1.09 કરોડનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ પદે બેચરલાલ હોથી યથાવત મોરબીની સગીરાનું અપહરણ કરનાર અંજારના શખ્સની ધરપકડ મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગને પગભર કરવા કેબિન ભેટમાં અપાઈ મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જૂનાગઢ જેલ હવાલે મોરબીના વનાળીયા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચ શખ્સો 34,200 ની રોકડ સાથે ઝડપાયા મોરબી શહેર-તાલુકા અને જબલપુરમાં હાર્ટ એટેકથી બે યુવાન અને એક આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મયુર બ્રીજની નીચેથી અજાણ્યા વ્યકિતનો કોહવાયેલ મૃતદેહ મળ્યો


SHARE

















મોરબીના મયુર બ્રીજની નીચેથી અજાણ્યા વ્યકિતનો કોહવાયેલ મૃતદેહ મળ્યો

 મોરબીના મયુર બ્રીજની નીચે મચ્છુ નદીના વિસ્તારમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં આશરે 55થી 60 વર્ષના વૃધ્ધનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
 બી ડીવીઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મશરૂભાઈ દેવશીભાઈ પરસાડીયા ભરવાડ રહે. રોયલ પાર્ક વોરા બાગ પાસે સામાકાં વાળાએ ફોન વડે પોલીસમાં જાણ કરી હતી કે મયુર બ્રીજની નીચે મચ્છુના પટમાં કોહવાયેલ હાલતમાં પુરૂષનો મૃતદેહ પડયો છે.

જેથી સ્ટાફના અરવિંદભાઈ ઝાપડીયા તપાસમાં પહોંચ્યા હતા. જોકે મૃતદેહ બે ત્રણ દિવસ જુનો હોય અને મોઢાનો ભાગ કોહવાયેલ હાલતમાં હોય મૃતકની ઓળખ થઈ શકેલ નથી. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક આશરે 55થી 60 વર્ષના હોય તેમ તેમણે ભુરા કલરનું અડધુ પેન્ટ અને રાખોડી કલરનો શર્ટ પહેરેલ છે. મૃતદેહનું ફોરેન્સીક પીએમ કરાવવામાં આવેલ છે. હાલ મૃતકની ઓળખ મેળવવા તજવીજ ચાલુ છે. જો કોઈને કંઈ માહીતી હોય તો તપાસ અધિકારીના મોબાઈલ નંબર 97140 64419 ઉપર જાણ કરવા યાદીમાં જણાવાયેલ છે.

મારામારીમાં ઈજા
મોરબી સિવિલના દરવાજા પાસે મારામારીમાં ઈજા થતા અમિતભાઈ ચંદુભાઈ અગેચાણીયા (32) રહે. કબીર ટેકરી શેરી નંબર-3ને ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો. જયારે હળવદના સરા રોડ રૂક્ષ્મણી પાર્કમાં રહેતા હિરલબેન રવિભાઈ પરમાર (27)ને બાઈકમાંથી પડી જતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જયારે જેતપર રોડે ટ્રકની કેબીન ઉપરથી પડી જતા બાબુભાઈ મોહનભાઈ મકવાણા (24) રહે.દશા માતાના મંદિર પાસે ભચાઉ કચ્છને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

બાળકનું મોત
મોરબીના જેતપર રોડ સિફોન સિરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજુરીકામ કરતા પરીવારનો પવન ચરણભાઈ માલવી બલાઈ નામનો ત્રણ વર્ષના બાળક પાછળ કુતરૂ દોડતા ભાગવા જતા તે પડી ગયો હતો.અને માથુ રૂમના પગથીયામાં અથડાતા સારવાર દરમ્યાન રાજકોટ ખાતે તેનું મોત નિપજયું હતું. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના સી.કે. પઢીયારે તપાસ કરી હતી. જયારે રફાળેશ્ર્વરના મચ્છુનગર વિસ્તારમાં સાપ કરડી જતા હરેશ મુકેશભાઈ આદરોજીયા (21)ને સિવિલે સારવારમાં લઈ જવાયો હતો.






Latest News