મોરબીના મયુર બ્રીજની નીચેથી અજાણ્યા વ્યકિતનો કોહવાયેલ મૃતદેહ મળ્યો
મોરબી મહાપાલિક બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી ઇશ્યૂ કરાઇ
SHARE









મોરબી મહાપાલિક બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી ઇશ્યૂ કરાઇ
મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ બાંધકામ મંજૂરી માટે થઈને અરજી કરવામાં આવતી હોય છે દરમિયાન મોરબી શહેરના વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેણાંક મકાન માટેની પ્રથમ બાંધકામ મંજૂરી આપવામાં આવેલ છે. અને મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી કરવામાં આવ્યું છે.
મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના જુદા જુદા વિસ્તારની અંદર જે ગેરકાયદે બાંધકામો છે તેને તોડવા માટેની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ કાયદેસરની જગ્યા ઉપર નિયમ મુજબ બાંધકામ કરવા માટે થઈને આસામીઓ દ્વારા બાંધકામ માટેની અરજીઓ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી શહેરના સામાકાંઠે આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા જોષી કિરીટભાઈ કાંતિલાલ દ્વારા મોરબી નગરપાલિકા માન્ય ઇજનેર અનિલભાઈ મીરાણી (અપૂર્વ હોમ પ્લાન) વાળા મારફતે અરજી કરવામાં આવી હતી અને તેઓની રહેણાંક મકાન બનાવવા માટેની અરજીને મહાનગરપાલિકામાંથી મંજૂરી આપવામાં આવેલ છે આમ મોરબી શહેરમાં હવે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ મંજૂરી આપવાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.

