મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિક બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી ઇશ્યૂ કરાઇ


SHARE







મોરબી મહાપાલિક બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી ઇશ્યૂ કરાઇ

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ બાંધકામ મંજૂરી માટે થઈને અરજી કરવામાં આવતી હોય છે દરમિયાન મોરબી શહેરના વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેણાંક મકાન માટેની પ્રથમ બાંધકામ મંજૂરી આપવામાં આવેલ છે. અને મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ બાંધકામ મંજૂરી કરવામાં આવ્યું છે.

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના જુદા જુદા વિસ્તારની અંદર જે ગેરકાયદે બાંધકામો છે તેને તોડવા માટેની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ કાયદેસરની જગ્યા ઉપર નિયમ મુજબ બાંધકામ કરવા માટે થઈને આસામીઓ દ્વારા બાંધકામ માટેની અરજીઓ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી શહેરના સામાકાંઠે આવેલ રામકૃષ્ણનગરમાં રહેતા જોષી કિરીટભાઈ કાંતિલાલ દ્વારા મોરબી નગરપાલિકા માન્ય ઇજનેર અનિલભાઈ મીરાણી (અપૂર્વ હોમ પ્લાન) વાળા મારફતે અરજી કરવામાં આવી હતી અને તેઓની રહેણાંક મકાન બનાવવા માટેની અરજીને મહાનગરપાલિકામાંથી મંજૂરી આપવામાં આવેલ છે આમ મોરબી શહેરમાં હવે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ મંજૂરી આપવાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.






Latest News