મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે અનોખો સેવાયજ્ઞ ટંકારાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડથી સન્માનિત મોરબીના ચકચારી વ્યાજના ચક્રમાં ફસાયેલ યુવાનના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીઓનો જામીન ઉપર છુટકારો મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ મોરબી જિલ્લામાંથી વધુ એક કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ, આરોપીઓને પકડવામાં પોલીસ ઊણી ઉતરી ?: લોકોનો વેધક સવાલ મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા
Breaking news
Morbi Today

વડોદરાથી ભાગીને હળવદના દેવળીયા ગામે મજૂરી કરતાં મોટાબાપુને ત્યાં આવેલ પ્રેમી યુગલે સજોડે જીવન ટુકાવ્યું


SHARE

















વડોદરાથી ભાગીને હળવદના દેવળીયા ગામે મજૂરી કરતાં મોટાબાપુને ત્યાં આવેલ પ્રેમી યુગલે સજોડે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાંથી પ્રેમી યુગલ ભાગીને હળવદના દેવળીયા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કામ કરતા તેના મોટાબાપુને ત્યાં આવી ગયું હતું અને યુવકના મોટાબાપુએ આ અંગેની જાણ યુવાનની માતાને કરી હતી જેથી તે પ્રેમી યુગલને લેવા માટે યુવાનની માતા ત્યાં આવી હતી અને બીજા દિવસે સવારે તેઓ વડોદરા જવાના હતા દરમિયાન રાત્રિના સમયે યુવક અને યુવતીએ છતમાં લગાવેલ લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ નારણભાઈ લવજીભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતા શાંતિલાલ ચંદુભાઈ નાયકને ત્યાં તેઓનો ભત્રીજો વિપુલકુમાર મુકેશભાઈ નાયક (24) રહે.મુળ દરજીપુરા ફળિયું રાયણ તલાવડી આજવા કમ્પાઉન્ડ વડોદરા અને રિયાબેન પૂનમભાઈ તડવી (17) રહે.મુળ ઉબેરા તાલુકો વડોદરા વાળા આવ્યા હતા અને છતમાં લગાવેલ લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધીને બંનેએ સજોડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે બંનેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યાર બાદ તેઓના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એન.એમ.ગોસ્વામી ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક વિપુલ નાયક અને રીયાબેન તડવીને પ્રેમ સંબંધ હોય તેવો અગાઉ પણ ભાગી ગયા હતા અને તેઓને ત્યારે સમજાવીને ઘરે પાછા લઈ આવ્યા હતા જોકે ફરી પાછા આ બંને ભાગીને દેવળિયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતાં તેઓના મોટાબાપુ પાસે આવ્યા હતા અને તે બંનેને તેઓના પરિવારજનો વડોદરમાં તેઓને શોધી રહ્યા હતા. દરમિયાન વિપુલના મોટાબાપુએ વિપુલ અને રીયા તેઓને ત્યાં આવ્યા છે તેવી જાણ કરી હતી જેથી વિપુલની માતા તે બંને લેવા માટે દેવળિયા ગામે આવી હતી અને બંનેને સમજાવીને બીજા દિવસે સવારે પરત વડોદરા લઈને જવાના હતા જોકે રાત્રિ દરમિયાન વિપુલ અને રિયાએ સજોડે આપઘાત કરી લીધો હતો જે બનાવની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News