માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

હળવદમાં વાડીની ઓરડીએ ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE











હળવદમાં વાડીની ઓરડીએ ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત

હળવદના સરા રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટી પાછળ વાડીની ઓરડીમાં ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદમાં ગોરી દરવાજા પાસે વાલાજી મંદિર નજીક રહેતા સનીભાઈ ભગવાનજીભાઈ ધા.પરમાર (25) નામના યુવાનને હળવદના સરા રોડ ઉપર રઘુનંદન સોસાયટીની પાછળના ભાગમાં આવેલ તેઓની વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને ભગવાનજીભાઈ ભીખાભાઈ ધા.પરમાર (65) રહે. હળવદ વાળા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની તેઓએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા રફીકાબેન ગુલામભાઈ ભટ્ટી (44) નામના મહિલાને અવેસભાઈ, હશનભાઈ અને હલીમાબેનને ઝઘડો કરીને ઈંટ પથ્થર વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારા મારીમાં ઇજા

મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ મહાવીરનગરમાં રહેતા પૂજાબેન હંસરાજભાઈ કંઝારીયા (૨૫) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઇ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી જતાં સારવારમાં

ભાવપરના રહેવાસી રોહિતભાઈ રામજીભાઈ કટારા (17) નામના યુવાનને સાપ કરડી જવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.






Latest News