મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

હળવદમાં વાડીની ઓરડીએ ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE











હળવદમાં વાડીની ઓરડીએ ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત

હળવદના સરા રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટી પાછળ વાડીની ઓરડીમાં ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદમાં ગોરી દરવાજા પાસે વાલાજી મંદિર નજીક રહેતા સનીભાઈ ભગવાનજીભાઈ ધા.પરમાર (25) નામના યુવાનને હળવદના સરા રોડ ઉપર રઘુનંદન સોસાયટીની પાછળના ભાગમાં આવેલ તેઓની વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને ભગવાનજીભાઈ ભીખાભાઈ ધા.પરમાર (65) રહે. હળવદ વાળા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની તેઓએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા રફીકાબેન ગુલામભાઈ ભટ્ટી (44) નામના મહિલાને અવેસભાઈ, હશનભાઈ અને હલીમાબેનને ઝઘડો કરીને ઈંટ પથ્થર વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારા મારીમાં ઇજા

મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ મહાવીરનગરમાં રહેતા પૂજાબેન હંસરાજભાઈ કંઝારીયા (૨૫) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઇ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી જતાં સારવારમાં

ભાવપરના રહેવાસી રોહિતભાઈ રામજીભાઈ કટારા (17) નામના યુવાનને સાપ કરડી જવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.






Latest News