મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદમાં વાડીની ઓરડીએ ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE







હળવદમાં વાડીની ઓરડીએ ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત

હળવદના સરા રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટી પાછળ વાડીની ઓરડીમાં ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદમાં ગોરી દરવાજા પાસે વાલાજી મંદિર નજીક રહેતા સનીભાઈ ભગવાનજીભાઈ ધા.પરમાર (25) નામના યુવાનને હળવદના સરા રોડ ઉપર રઘુનંદન સોસાયટીની પાછળના ભાગમાં આવેલ તેઓની વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને ભગવાનજીભાઈ ભીખાભાઈ ધા.પરમાર (65) રહે. હળવદ વાળા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની તેઓએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા રફીકાબેન ગુલામભાઈ ભટ્ટી (44) નામના મહિલાને અવેસભાઈ, હશનભાઈ અને હલીમાબેનને ઝઘડો કરીને ઈંટ પથ્થર વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારા મારીમાં ઇજા

મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ મહાવીરનગરમાં રહેતા પૂજાબેન હંસરાજભાઈ કંઝારીયા (૨૫) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઇ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી જતાં સારવારમાં

ભાવપરના રહેવાસી રોહિતભાઈ રામજીભાઈ કટારા (17) નામના યુવાનને સાપ કરડી જવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.






Latest News