મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામની સીમમાં પાણી ભરેલ ખાડામાં ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત


SHARE







મોરબીના નીચી માંડલ ગામની સીમમાં પાણી ભરેલ ખાડામાં ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં પાવળીયારી મેલડી માતાજીના મંદિરની પાછળના ભાગમાં ભરેલ પાણીના ખાડામાં યુવાને ન્હાવા માટે ગયો હતો અને દરમિયાન તે પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઓડિશાનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ સિમોન સીરામીક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતો જગનાથ સુરેન્દ્રનાથ બહેરા (38) નામનો યુવાન નીચી માંડલ ગામની સીમમાં પાવળીયારી મેલડી માતાજીના મંદિરની પાછળના ભાગમાં ભરેલ પાણીના ખાડામાં ન્હાવા માટે થઈને ગયો હતો અને ત્યારે કોઈ કારણોસર તે ત્યાં પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની અજયભાઈ રવિન્દ્રભાઈ મહંતો (27) રહે. હાલ સિમોન સિરામિક લેબર કોલોનીના ક્વોટરમાં નીચી માંડલ મૂળ રહે ઓરિસ્સા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીની રવાપર ચોકડી નજીક રહેતા રિપલબેન બેચરભાઈ કાચરોલા રફાળેશ્વર ચોકડી પાસેથી બાઈકમાં જતા હતા ત્યાં અચાનક કૂતરું આડું ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું.જેમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે દેગામના વતની અને હાલ મોરબી રહી મજૂરી કામ કરતા નિકુલ રમેશભાઈ નામનો ૧૮ વર્ષનો યુવાન પીપળી રોડ શિવ પાર્ક નજીકથી હાઇવે બાજુ જતા રસ્તે જતો હતો ત્યાં અકસ્માત બનાવમાં ઇજા થતાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.






Latest News