મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સિનીયર સીટીઝનનું સ્નેહમિલન, વ્યાખ્યાનમાળા તથા સામાન્ય જ્ઞાન કસોટી


SHARE













મોરબીમાં સિનીયર સીટીઝનનું સ્નેહમિલન, વ્યાખ્યાનમાળા તથા સામાન્ય જ્ઞાન કસોટી

મોરબીના સિનીયર સીટીઝન કાઉન્સીલ તરફથી આગામી તા.૫-૧૨ ને રવિવાર સવારે ૯-૩૦ કલાકે ધન્વન્તરિ ભવન કાયાજી પ્લોટ મોરબી ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્યારબાદ સવારે ૧૦ કલાકે સામાન્ય જ્ઞાન કસોટી પેપર તથા ૧૦:૩૦ કલાકે મોરબીના જાણીતા સાયર કાયમ હઝારીના બ્રહ્મોપદેશ વિષે વ્યાખ્યાન માળા યોજાશે તયારબાદ ૧૨ કલાકે ભોજન યોજાશે.પરિક્ષામાં ભાગ લેવા ઇચ્છતા તથા કાર્યક્રમમાં આવવાના હોય તે સભ્યોએ મોબાઇલ નં.૯૯૧૩૨ ૨૨૨૮૩, ૯૪૨૬૯ ૪૨૪૦૮ અથવા ૯૭૨૭૪ ૦૩૯૯૨ ઉપર નામ નોંધાવવાના રહેશે તેમ સડસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ તેમજ મંત્રી મહેશભાઇ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.

અડદીયા વિતરણ

મોરબી સહકાર ભારતી તેમજ સિનિયર સિટીઝન કાઉન્સીલ દ્રારા શુધ્ધ ઘીના અડદીયા રાહતદરે વિતરીત કરવા આયોજન કરાયેલ હતુ.તા.૨૯ ના ગુ.હા.બોર્ડ હોલ ખાતેથી ૩૫૦ કિલોથી વધુ અડદીયાનું વિતરણ કરાયુ હતુ તે માટે ડો.બી.કે.હેરૂ, ત્રંબકભાઇ મહેતા, મહેશભાઇ ભટ્ટ સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News