મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ૧૧ વર્ષ પુર્ણ થતા લાલપર ગામે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા યોગ સ્પર્ધા યોજાઇ: વિજેતાઓને અપાયા પુરસ્કાર મોરબીમાં આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિકનું કાલે ઉદ્ઘાટન મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ પાસેથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે જાહેરમાં માથાકૂટ કરનાર દંપતિ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કાલિન્દ્રી નદીમાં નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો મોરબીના મકનસર પાસે બલેનો કારમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ કરી ટેમ્પો-ટ્રેલરમાંથી ડીઝલની ચોરી !: આરોપીઓ હાથવેંતમાં હળવદના ચરાડવા પાસે મહાકાળી આશ્રમમાં તસ્કરોના ધામા: બે મંદિરની દાનપેટીમાંથી રોકડા 52,000 ની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકા અને ટંકારા તાલુકામાં વીજ ધાંધીયા દૂર કરવા ધારાસભ્યોએ વીજ કંપનીના અધિકારીઓ સાથે કરી મિટિંગ


SHARE















વાંકાનેર શહેર-તાલુકા અને ટંકારા તાલુકામાં વીજ ધાંધીયા દૂર કરવા ધારાસભ્યોએ વીજ કંપનીના અધિકારીઓ સાથે કરી મિટિંગ

વાંકાનેર શહેર તેમજ તાલુકામાં અને ટંકારા તાલુકા વિસ્તારમાં વીજ ધાંધીયા છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યા છે જેથી કરીને સ્થાનિક ધારાસભ્યોએ વીજ કંપનીના અધિક્ષક સહિતના ઈજનેરોની હાજરીમાં મિટિંગ કરી હતી અને લોકોએ પ્રશ્નો રજૂ કર્યા હતા ત્યારે વીજ કંપનીના અધિકારીઓએ વહેલી તકે વીજ પુરવઠાને લગતા જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટેની ખાતરી આપેલ હતી.

વાંકાનેર શહેર તેમજ તાલુકામાં વિજકંપનીના ઘણા પ્રશ્નો છે તેનું કાયમી નિરાકરણ આવે તે માટે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા મોરબી અધિક્ષક કાર્યપાલક ઈજનેર ડી.આર.ધાળીયા, વાંકાનેર કાર્યપાલક ઈજનેર પી.એસ.ધુલિયાડેપ્યુટી એન્જીનીયર એન.ડી.પટેલડેપ્યુટી એન્જીનીયરઆઈ.એમ.મોઢરૂરલ-1 ના એચ.એચ. પટેલરૂરલ-2 ના કે.એચ. મોરઢુવા સબ ડિવિઝન કે.જે.કૈલા તેમજ વાંકાનેર શહેર એ.પી.પનારા સાથે વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે મિટિંગ કરી હતી અને ત્યારે અધિકારી ધારાસભ્યને ગણતરીના દિવસોમાં પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવાની ખાતરી આપેલ હતી. તો ટંકારા તાલુકામાં પણ વરસાદ પછીથી સતત વીજ ધાંધિયા જુદાજુદા વિસ્તારમાં જોવા મળે છે જેથી કરીને વીજ પુરવઠાને લગતા પ્રશ્નો ઉકેલવા માટે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તાત્કાલિક વીજ કંપનીના અધિકારીઓની સાથે મિટિંગનું આયોજન કર્યું હતું અને લોકોના જે પ્રશ્ન હતા તેનું નિરાકરણ લાવવા માટે અધિકારીને સૂચના આપેલ હતી.






Latest News