ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર


SHARE













મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર

તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસના ઉપક્રમે "આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર યોજાઇ હતી.

દેશના  વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલ “સહકારથી સમૃધ્ધિ" સંકલ્પનાને વૈશ્વીક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર (UNO) દ્વારા વર્ષ-૨૦૨૫ ને “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ" તરીકે જાહેર કરવામાં આવેલ છે.જેની ઉજવણીના ભાગરૂપે તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસના રોજ ડો.બી.એન.પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. મોરબી ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ.આ યોગ શિબિરમાં ગુજરાત યોગ બોર્ડના ઈન્સ્ટ્રકટર તરીકે ગુન ભારવાણી તથા શિવાની પુરોહિત દ્વારા યોગાસન, પ્રાણાયામ, મેડિટેશન ગેઈમ દ્વારા હંગામી જીવનમાં સ્ટ્રેસ કોમ્પિટેશન અને ચિંતાથી થતી તકલીફો દુર કરવા દરરોજ શું કરવું જોઈએ ? યોગ-પ્રાણાયામથી આપણુ સ્વાસ્થ્ય સુદ્દઢ બનાવવા શું કરવું જોઈએ ? અને યોગ-પ્રાણાયામ કરીને તંદુરસ્ત જીવન કેમ જીવવું ? તે અંગે તાલીમ, યોગ-પ્રાણાયામના વિવિધ ફાયદા અને અન્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ.આ રાષ્ટ્રવ્યાપી ચળવળનો ઉદ્દેશ્ય પ્રાચીન ભારતીય યોગ પ્રથા, સામાન્ય પ્રજાજન અને સમુદાયોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને વધારવામાં તેની ભૂમિકા પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવાનો છે.આ યોગ શિબિરમાં રાહકારી સંસ્થાઓ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ તથા અન્ય પ્રજાજનો ઉપસ્થિત રહી, યોગ-પ્રાણાયામ અંગેની તાલીમ મેળવવામાં આવી.તેમ સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારએ યાદીમાં જણાવેલ છે.






Latest News