મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર


SHARE











મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર

તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસના ઉપક્રમે "આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર યોજાઇ હતી.

દેશના  વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલ “સહકારથી સમૃધ્ધિ" સંકલ્પનાને વૈશ્વીક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર (UNO) દ્વારા વર્ષ-૨૦૨૫ ને “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ" તરીકે જાહેર કરવામાં આવેલ છે.જેની ઉજવણીના ભાગરૂપે તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસના રોજ ડો.બી.એન.પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. મોરબી ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ.આ યોગ શિબિરમાં ગુજરાત યોગ બોર્ડના ઈન્સ્ટ્રકટર તરીકે ગુન ભારવાણી તથા શિવાની પુરોહિત દ્વારા યોગાસન, પ્રાણાયામ, મેડિટેશન ગેઈમ દ્વારા હંગામી જીવનમાં સ્ટ્રેસ કોમ્પિટેશન અને ચિંતાથી થતી તકલીફો દુર કરવા દરરોજ શું કરવું જોઈએ ? યોગ-પ્રાણાયામથી આપણુ સ્વાસ્થ્ય સુદ્દઢ બનાવવા શું કરવું જોઈએ ? અને યોગ-પ્રાણાયામ કરીને તંદુરસ્ત જીવન કેમ જીવવું ? તે અંગે તાલીમ, યોગ-પ્રાણાયામના વિવિધ ફાયદા અને અન્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ.આ રાષ્ટ્રવ્યાપી ચળવળનો ઉદ્દેશ્ય પ્રાચીન ભારતીય યોગ પ્રથા, સામાન્ય પ્રજાજન અને સમુદાયોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને વધારવામાં તેની ભૂમિકા પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવાનો છે.આ યોગ શિબિરમાં રાહકારી સંસ્થાઓ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ તથા અન્ય પ્રજાજનો ઉપસ્થિત રહી, યોગ-પ્રાણાયામ અંગેની તાલીમ મેળવવામાં આવી.તેમ સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારએ યાદીમાં જણાવેલ છે.






Latest News