મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યા કરનારા 7 આરોપીઓના રિમાન્ડ મંજૂર


SHARE















મોરબીમાં યુવાનની હત્યા કરનારા 7 આરોપીઓના રિમાન્ડ મંજૂર

મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને સાત શખ્સો દ્વારા યુવાન ઉપર લાકડી, પાઇપ અને છરી વડે તૂટી પડ્યા હતા અને તેની હત્યા કરી નાખી હતી જેથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનની માતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે 7 આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવ્યા છે.

મોરબીના વજેપર શેરી નં.13 માં રહેતા ભાવનાબેન નારણભાઈ કંઝારીયા (45)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસ પહેલા 7 શખ્સોની સામે દીકરીની હત્યાની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના દીકરા ગિરીશ નારણભાઈ કંઝારિયા (27) ઉપર મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો અને લાકડી, પાઇપ અને પથ્થરના ઘા મારીને તેમજ છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખેલ છે. વધુમાં ફરિયાદી જણાવ્યુ છે કે, અગાઉ આરોપી મહેશ ઉફે પાંચો ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હતો અને ફરિયાદીનો દીકરો તેને મદદ કરતો હોવાનો વહેમ રાખીને હાલના ફરિયાદીના દીકરા સામે વર્ષ 2017 માં પોલીસ ફરીયાદ કરેલ હતી થોડા દિવસ પહેલા આરોપી દિલીપ મહેશભાઈ સાથે ફરીયાદીના દિકરાને ગાળો બોલવા બાબતે મારામારી થયેલ હતી જેનો રાગદ્રેષ રાખીને આરોપીઓએ એકસંપ કરીને ફરીયાદીના દિકરા ગિરીશ અને સાહેદને ગાળો બોલી હતી અને ત્યાર બાદ દિલીપભાઈ મહેશભાઈએ છરીના ઘા માર્યો હતો અને અન્ય આરોપીઓએ લાકડા ધોકા અને પાઈપથી તેમજ પથ્થરથી માર માર્યો હતો. જેથી ફરિયાદીના દીકરનું મોત નીપજયું હતું. આ ગુનામાં પોલીસે આરોપી દિલીપ મહેશભાઇ કણજારીયા, અરવિંદ ઉર્ફે મુન્નો ડાયાભાઈ પરમાર, કિશન પ્રભુભાઈ પરમાર, પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર, મહેશ ઉર્ફે પાંચાભાઇ ડાયાભાઈ પરમાર, દિનેશભાઇ ઉર્ફે જગદીશ ડાયાભાઈ પરમાર અને અમિત મહેશભાઈ પરમાર રહે. બધા વજેપર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીના પોણા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News