માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીનું તારણ, બાળકોની તંદુરસ્તીને હવા, સૂર્ય પ્રકાશ, યોગ અને કસરત ખુબ જ અસરકર્તા


SHARE













ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીનું તારણ, બાળકોની તંદુરસ્તીને હવા, સૂર્ય પ્રકાશ, યોગ અને કસરત ખુબ જ અસરકર્તા

બાળકોની તંદુરસ્તી માટે અને સ્વસ્થ વિકાસ માટે ખુલ્લી હવા અને સૂર્યપ્રકાશનો જેટલો મહિમા કરીએ એટલો ઓછો છે.અમુક ઘરોમાં બંધિયાર વાતાવરણના કારણે પૂરતા હવા-ઉજાશ ન હોવાના કારણે ઘરમાં રહેતી વ્યક્તિઓને એક બીજાનો ચેપ ઝડપથી લાગે છે. તેમજ હવા અને તડકાના અભાવે જંતુનો નાશ થતો નથી અને જંતુઓની ઝડપથી વૃધ્ધિ થાય છે. 

ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડૉ.હેમાંગી ડી.મહેતાના જણાવ્યા મુજબ એવું સ્પષ્ટ પણે જોવામાં આવ્યુ છેકે, જે ઘરોમાં હવાની પૂરતી અવર જવર નથી તે ઘરોમાં શરદી-કફ-હાંફ-ન્યુમોનિયા જેવી બિમારી વધુ થાય છે. રૂમેટિક ફિવર નામે ઓડખાતી બીમારી (જે હ્રદયના વાલ્વને પણ નુકશાન પહોંચાડે છે.) પણ હવાની અવર જવર ઓછી હોય એવાં ઘરોમાં વધુ જોવા મળે છે. ધૂળ ડમરી સાથે ફૂંકાતો હોય તેવો પવન નુકશાન કરી શકે, પરંતુ ધરોમાં ક્રોસ વેન્ટીલેશન હોવું આવશ્યક છે.સૂર્યપ્રકાશમાંથી આપણને વિટામિન-ડી મળે છે. શહેરોમાં (તેમજ હવે તો ગામડાઓમાં પણ) વસ્તિની ગીચતાને કારણે મકાનોમાં અને શેરીઓમાં ભાગ્યેજ તડકો આવે છે. બાળકોને અપૂરતો તડકો મળવાથી એમને રીકેટસ (સુકતાન) નામની બીમારી થાય છે. જેમાં બાળકના હાડકા નબળા પડે છે. કપાળ ઉપસી આવે છે. પગ વાંકા રહે છે. પાંસળીઓમાં ખાડા પડે છે.આખા સ્થળે બૂરખો પહેરેલી સ્ત્રીઓનાં બાળકોમાં અચૂક વિટામિન-ડી ની ખામી જોવા મળે છે.અમુક નવા જન્મેલા બાળકોનાં શરીર પર પીળાશ જોવા મળે છે.જો આ પીળાશ ભયજનક માત્રામાં ન હોયતો બાળકને માત્ર સૂર્યના કુમળા તડકામાં રાખવાથી દૂર થાય છે.જેમ બને એમ બાળકોને શુદ્ધ હવા અને યોગ્ય સૂર્ય પ્રકાશ મળી રહે તેવી જગ્યાએ રમવા દેવા જોઈએ જેથી કરીને બાળકોનું આરોગ્ય સારૂ રહે.બાળકોએ અત્યારના સમયમાં તેનું આરોગ્ય સારૂ રહે તે માટે ઉંમર પ્રમાણે અનુકૂલ હોય તેવા યોગ કરવા જોઈએ અને કસરત પણ ઉમર પ્રમાણે અનુકૂળ હોય તેવી કરવી જોઈએ.જેથી કરીને નાની ઉમરમાં સ્થૂળતાન આવે અને આરોગ્ય સારૂ રહે અને તંદુરસ્તી વધે.






Latest News