મોરબી નજીક કાલિન્દ્રી નદીમાં નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો મોરબીના મકનસર પાસે બલેનો કારમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ ટેમ્પો-ટ્રેલરની ડીઝલ ટાંકીમાંથી કરી 330 લીટર ડીઝલની ચોરી ! હળવદના ચરડવા પાસે મહાકાળી આશ્રમમાં તસ્કરોના ધામા: બે મંદિરની દાનપેટીમાંથી 52,000 ની રોકડની ચોરી મોરબીના વાવડી રોડે આવેલ શ્રીહરિ પાર્કમાં જુગાર રમતા 7 મહિલા સહિત કુલ 8 વ્યક્તિ 16,100 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં દીકરી મોબાઇલમાંથી અજાણ્યા લોકોને ફોન કરી દેતા પત્ની સાથે થયેલ બોલાચાલીનું લાગી આવતા યુવાને કર્યો આપઘાત ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની ઓરડીએ લેમ્પ લગાવવામાં ભાઈને મદદ કરનાર સગીરનું  શોર્ટ લાગવાથી મોત ટંકારાના નેસડા (ખા) ગામે કૂવામાં પડી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીનું તારણ, બાળકોની તંદુરસ્તીને હવા, સૂર્ય પ્રકાશ, યોગ અને કસરત ખુબ જ અસરકર્તા


SHARE















ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીનું તારણ, બાળકોની તંદુરસ્તીને હવા, સૂર્ય પ્રકાશ, યોગ અને કસરત ખુબ જ અસરકર્તા

બાળકોની તંદુરસ્તી માટે અને સ્વસ્થ વિકાસ માટે ખુલ્લી હવા અને સૂર્યપ્રકાશનો જેટલો મહિમા કરીએ એટલો ઓછો છે.અમુક ઘરોમાં બંધિયાર વાતાવરણના કારણે પૂરતા હવા-ઉજાશ ન હોવાના કારણે ઘરમાં રહેતી વ્યક્તિઓને એક બીજાનો ચેપ ઝડપથી લાગે છે. તેમજ હવા અને તડકાના અભાવે જંતુનો નાશ થતો નથી અને જંતુઓની ઝડપથી વૃધ્ધિ થાય છે. 

ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડૉ.હેમાંગી ડી.મહેતાના જણાવ્યા મુજબ એવું સ્પષ્ટ પણે જોવામાં આવ્યુ છેકે, જે ઘરોમાં હવાની પૂરતી અવર જવર નથી તે ઘરોમાં શરદી-કફ-હાંફ-ન્યુમોનિયા જેવી બિમારી વધુ થાય છે. રૂમેટિક ફિવર નામે ઓડખાતી બીમારી (જે હ્રદયના વાલ્વને પણ નુકશાન પહોંચાડે છે.) પણ હવાની અવર જવર ઓછી હોય એવાં ઘરોમાં વધુ જોવા મળે છે. ધૂળ ડમરી સાથે ફૂંકાતો હોય તેવો પવન નુકશાન કરી શકે, પરંતુ ધરોમાં ક્રોસ વેન્ટીલેશન હોવું આવશ્યક છે.સૂર્યપ્રકાશમાંથી આપણને વિટામિન-ડી મળે છે. શહેરોમાં (તેમજ હવે તો ગામડાઓમાં પણ) વસ્તિની ગીચતાને કારણે મકાનોમાં અને શેરીઓમાં ભાગ્યેજ તડકો આવે છે. બાળકોને અપૂરતો તડકો મળવાથી એમને રીકેટસ (સુકતાન) નામની બીમારી થાય છે. જેમાં બાળકના હાડકા નબળા પડે છે. કપાળ ઉપસી આવે છે. પગ વાંકા રહે છે. પાંસળીઓમાં ખાડા પડે છે.આખા સ્થળે બૂરખો પહેરેલી સ્ત્રીઓનાં બાળકોમાં અચૂક વિટામિન-ડી ની ખામી જોવા મળે છે.અમુક નવા જન્મેલા બાળકોનાં શરીર પર પીળાશ જોવા મળે છે.જો આ પીળાશ ભયજનક માત્રામાં ન હોયતો બાળકને માત્ર સૂર્યના કુમળા તડકામાં રાખવાથી દૂર થાય છે.જેમ બને એમ બાળકોને શુદ્ધ હવા અને યોગ્ય સૂર્ય પ્રકાશ મળી રહે તેવી જગ્યાએ રમવા દેવા જોઈએ જેથી કરીને બાળકોનું આરોગ્ય સારૂ રહે.બાળકોએ અત્યારના સમયમાં તેનું આરોગ્ય સારૂ રહે તે માટે ઉંમર પ્રમાણે અનુકૂલ હોય તેવા યોગ કરવા જોઈએ અને કસરત પણ ઉમર પ્રમાણે અનુકૂળ હોય તેવી કરવી જોઈએ.જેથી કરીને નાની ઉમરમાં સ્થૂળતાન આવે અને આરોગ્ય સારૂ રહે અને તંદુરસ્તી વધે.






Latest News