મોરબી: વીરનગરની શાળામાં ડીડીઓના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો
મોરબી જિલ્લાના ધો. ૫ ના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક
SHARE








મોરબી જિલ્લાના ધો. ૫ ના બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસની સુવર્ણ તક
ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેર, જી. મોરબીમાં ધોરણ ૬ (શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭) માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો www.navodaya.gov.in તેમજ https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઇટ પરથી તા.૨૯/૭/૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.
ધોરણ-૬ ની પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિધાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ-૫ માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષા તા. ૧૩/૧૨/૨૦૨૫ (શનિવાર)ના રોજ લેવામાં આવશે તેવું પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેરના આચાર્ય આર.કે. બોરોલેની યાદીમાં જણાવાયું છે.

