મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો


SHARE







મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળા અને શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો સંયુક્ત કાર્યક્રમ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે જે.જે. રાચ્છ (કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ.), ચંદ્રકાંતભાઈ બાવરવા હાજર રહ્યા હતા અને તેની સાથે સરપંચ દિલીપભાઈ લીંબડ, ઉપસરપંચ ભીમાણી રમેશભાઈ વિગેરે પણ હાજર રહ્યા હતા. આ તકે જુદાજુદા દાતાઓએ શાળામાં વિદ્યાર્થીઓની પ્રગતિમાં વધારો થાય તે માટે વિવિધ શૈક્ષણિક વસ્તુઓ અને રોકડ રકમનું દાન આપ્યું હતું. અને જુદીજુદી સ્પર્ધા તેમજ પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનારા બાળકોને  ઇનામ આપી પ્રોસાહિત કર્યા હતા. તેવી જ રીતે તમામ દાતાઓનું સાલ ઓઢાળી, સિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ખાનપર કુમાર પ્રાથમિક શાળા અને શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેવી માહિતી શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ કે. સાવરિયાએ આપેલ છે.






Latest News