ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો

હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીને પકડવામાં આવ્યા હતા જે કેસ મોરબીની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીઓના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં ફરીયાદ પક્ષની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદીની સગીરવયની ભોગ બનનાર દીકરીને આરોપી આસીફ અનવર ભટ્ટી બદકામ કરવાના ઈરાદે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કર્યું હતું અને આરોપી સમીર અબ્બાસ મોવરના ઘરે ભોગ બનનારને ત્રણ દિવસ રાખી હતી જેથી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલાનો આક્ષેપ ફરીયાદહળવદ પોલીસ સ્ટેશનમાં કર્યો હતો જેથી પોકસો, અપહરણ તથા એટ્રોસીટીનો ગુન્હો દાખલ થયેલ હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી તરફે વકીસ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમારની ધારદાર દલીલો તથા જુદીજુદી કોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને રાખીને આરોપીને છોડી મુકવાનો સ્પેશીયલ જજ કે.આર.પંડયા સાહેબે હુકમ કરેલ છે.






Latest News