ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર


SHARE













વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર

વાંકાનેર સીટીમાં વર્ષ 2022 માં એન.ડી.પી.એસ.નો ગુનો નોંધાયેલ હતો અને આ કામે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો ૧૦ કીલો ગ્રામ (કોમર્શીયલ કોન્ટેટી) જથ્થો મળી આવેલ હતો જે કેસમાં આરોપી મનોજ ડાકટરભાઈ જૈનાના જામીન માટેની અરજી હાઇકોર્ટમા મૂકી હતી જેને મંજૂર કરવામાં આવતા આરોપીનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ ટૂંકી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો ૧૦ કીલો ગ્રામ (કોમર્શીયલ કોન્ટેટી) જથ્થા સાથે આરોપી મનોજ ડાકટરભાઈ જૈના રહે. હાલે કતારગામ, ઉતકલ નગર, અંબાજી મહોલ્લા, અંબાજી મંદિર સામે,સાઈ રામ મોબાઈલની દુકાનની સામેની ગલીમાં રૂમ નં. ૩, નરીત્રીનાથ પરીડાની રૂમમાં, જુની જી.આઈ.ડી.સી. કતાર ગામ સુરત મુળ રહે, ઓરીસા વાળાને પોલીસે પકડ્યો હતો અને વાંકાનેર સીટી પોલસી સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. અને આરોપીને મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન માટેની અરજી દાખલ કરેલ હતી. જેમાં હાઈકોર્ટે શરતોને આધીન ૧૦,૦૦૦ ના જામીન મંજૂર કર્યા છે. જેથી આ કેમાં આરોપીના વકીલ તરીકે એસ.ડી. મોધરીયા, વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા વકીલ શ્રી કુ.મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.






Latest News