મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર


SHARE











વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર

વાંકાનેર સીટીમાં વર્ષ 2022 માં એન.ડી.પી.એસ.નો ગુનો નોંધાયેલ હતો અને આ કામે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો ૧૦ કીલો ગ્રામ (કોમર્શીયલ કોન્ટેટી) જથ્થો મળી આવેલ હતો જે કેસમાં આરોપી મનોજ ડાકટરભાઈ જૈનાના જામીન માટેની અરજી હાઇકોર્ટમા મૂકી હતી જેને મંજૂર કરવામાં આવતા આરોપીનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ ટૂંકી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો ૧૦ કીલો ગ્રામ (કોમર્શીયલ કોન્ટેટી) જથ્થા સાથે આરોપી મનોજ ડાકટરભાઈ જૈના રહે. હાલે કતારગામ, ઉતકલ નગર, અંબાજી મહોલ્લા, અંબાજી મંદિર સામે,સાઈ રામ મોબાઈલની દુકાનની સામેની ગલીમાં રૂમ નં. ૩, નરીત્રીનાથ પરીડાની રૂમમાં, જુની જી.આઈ.ડી.સી. કતાર ગામ સુરત મુળ રહે, ઓરીસા વાળાને પોલીસે પકડ્યો હતો અને વાંકાનેર સીટી પોલસી સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. અને આરોપીને મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન માટેની અરજી દાખલ કરેલ હતી. જેમાં હાઈકોર્ટે શરતોને આધીન ૧૦,૦૦૦ ના જામીન મંજૂર કર્યા છે. જેથી આ કેમાં આરોપીના વકીલ તરીકે એસ.ડી. મોધરીયા, વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા વકીલ શ્રી કુ.મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.






Latest News