હળવદ તાલુકાનાં અપહરણ, પોકસો તથા એટ્રોસીટીના કેસમાં બે આરોપીનો નિર્દોષ છુટકારો
વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
SHARE








વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
વાંકાનેર સીટીમાં વર્ષ 2022 માં એન.ડી.પી.એસ.નો ગુનો નોંધાયેલ હતો અને આ કામે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો ૧૦ કીલો ગ્રામ (કોમર્શીયલ કોન્ટેટી) જથ્થો મળી આવેલ હતો જે કેસમાં આરોપી મનોજ ડાકટરભાઈ જૈનાના જામીન માટેની અરજી હાઇકોર્ટમા મૂકી હતી જેને મંજૂર કરવામાં આવતા આરોપીનો જામીન ઉપર છુટકારો થયેલ છે.
આ કેસની વકીલ પાસેથી મળેલ ટૂંકી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો ૧૦ કીલો ગ્રામ (કોમર્શીયલ કોન્ટેટી) જથ્થા સાથે આરોપી મનોજ ડાકટરભાઈ જૈના રહે. હાલે કતારગામ, ઉતકલ નગર, અંબાજી મહોલ્લા, અંબાજી મંદિર સામે,સાઈ રામ મોબાઈલની દુકાનની સામેની ગલીમાં રૂમ નં. ૩, નરીત્રીનાથ પરીડાની રૂમમાં, જુની જી.આઈ.ડી.સી. કતાર ગામ સુરત મુળ રહે, ઓરીસા વાળાને પોલીસે પકડ્યો હતો અને વાંકાનેર સીટી પોલસી સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. અને આરોપીને મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન માટેની અરજી દાખલ કરેલ હતી. જેમાં હાઈકોર્ટે શરતોને આધીન ૧૦,૦૦૦ ના જામીન મંજૂર કર્યા છે. જેથી આ કેસમાં આરોપીના વકીલ તરીકે એસ.ડી. મોધરીયા, વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા વકીલ શ્રી કુ.મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.
