હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ


SHARE











મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ

મોરબી જીલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, ગામડાઓમાં આવેલ જર્જરીત શાળાઓ અને શિક્ષકોની ઘટ સામે આંખ આડા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા વહેલી તકે સરકારી શાળાઓમાં રીનોવેશન, નવા શિક્ષકોની નિમણુંક તેમજ અદ્યતન શૈક્ષણિક સાધનો આપવાની માંગ કરવામાં આવી છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યુ હતું કે, ગત તા.૨૬, ૨૭ અને ૨૮ જુનના રોજ મોરબી જીલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, જીલ્લાના ગામડાઓમાં આવેલ શાળાઓ જર્જરીત હાલતમાં આવેલ છે. આવી જર્જરીત શાળાઓની હાલતના કારણે કોઈ આકસ્મિક બનાવ બનશે તો જવાબદાર કોણ ?, આટલું જ નહીં શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે, અદ્યતન શૈક્ષણિક સાધનોનો અભાવ છે આ બાબતેનો ધ્યાને લેવામાં આવી રહી નથી જેથી વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ કઈ રીતે મળી શકે તે સવાલ ઉઠી રહ્યો છે. મોરબીના જીલ્લાના મુખ્ય અધિકારીઓ શિક્ષકોની ઘટ અને શાળાઓની જર્જરીત હાલતથી વાકેફ છે છતાં પણ તેની સામે આંખ આડા કરવામાં આવી રહ્યા છે જેથી ગામડાના લોકોને નાછૂટકે તેના સંતાનોને ખાનગી શાળામાં મોકલવા પડે છે. જેથી સરકારી કાર્યક્રમોમાં સરકારી નાણાંનો દુરઉપયોગ કરી રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ શું સાબીત કરવા માંગે છે ? પણ તપાસનો વિષય છે. અને વહેલી તકે શાળાઓના રીનોવેશન, નવા શિક્ષકોની નિમણુંક તેમજ બાળકોને અદ્યતન શૈક્ષણિક સાધનો પુરા પાડવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News