મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ


SHARE











મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ

મોરબી જીલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, ગામડાઓમાં આવેલ જર્જરીત શાળાઓ અને શિક્ષકોની ઘટ સામે આંખ આડા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા વહેલી તકે સરકારી શાળાઓમાં રીનોવેશન, નવા શિક્ષકોની નિમણુંક તેમજ અદ્યતન શૈક્ષણિક સાધનો આપવાની માંગ કરવામાં આવી છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યુ હતું કે, ગત તા.૨૬, ૨૭ અને ૨૮ જુનના રોજ મોરબી જીલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, જીલ્લાના ગામડાઓમાં આવેલ શાળાઓ જર્જરીત હાલતમાં આવેલ છે. આવી જર્જરીત શાળાઓની હાલતના કારણે કોઈ આકસ્મિક બનાવ બનશે તો જવાબદાર કોણ ?, આટલું જ નહીં શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે, અદ્યતન શૈક્ષણિક સાધનોનો અભાવ છે આ બાબતેનો ધ્યાને લેવામાં આવી રહી નથી જેથી વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ કઈ રીતે મળી શકે તે સવાલ ઉઠી રહ્યો છે. મોરબીના જીલ્લાના મુખ્ય અધિકારીઓ શિક્ષકોની ઘટ અને શાળાઓની જર્જરીત હાલતથી વાકેફ છે છતાં પણ તેની સામે આંખ આડા કરવામાં આવી રહ્યા છે જેથી ગામડાના લોકોને નાછૂટકે તેના સંતાનોને ખાનગી શાળામાં મોકલવા પડે છે. જેથી સરકારી કાર્યક્રમોમાં સરકારી નાણાંનો દુરઉપયોગ કરી રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ શું સાબીત કરવા માંગે છે ? પણ તપાસનો વિષય છે. અને વહેલી તકે શાળાઓના રીનોવેશન, નવા શિક્ષકોની નિમણુંક તેમજ બાળકોને અદ્યતન શૈક્ષણિક સાધનો પુરા પાડવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News