ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બની રહેલા લખધીરપુર રોડ પર ભષ્ટ્રાચાર ની ગંધ: આમ આદમી પાર્ટીનાં આક્ષેપ


SHARE













મોરબીમાં નવા બની રહેલા લખધીરપુર રોડ પર ભષ્ટ્રાચાર ની ગંધ: આમ આદમી પાર્ટીનાં આક્ષેપ

મોરબી જિલ્લામાં લખધીરપુર રોડ ઉપર અનેક સીરામીક ફેક્ટરી આવેલી છે અને સતત ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર છે.લખધીરપુર રોડ હમણાં સરકાર દ્વારા નવો રોડ મંજૂર કરવામાં આવ્યો છે.જેનું કામ હજુ ચાલુ કરવા આવ્યું છે.આ રોડ બનવામાં ભષ્ટ્રાચારની ગંધ આવતી હોય તેવું આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને મોરબી ઓબીસી વિંગના પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં છે.વધુંમાં જાણાવ્યુ હતું કે આ રોડ બનાવતા પહેલા જે માટી કામ અને મોરમનું બુરાણ થવું જોઈએ તે યોગ્ય રીતે થયેલ નથી. જ્યાં રોડ પર બુરાણ મોરમની જગ્યાએ ફક્ત માટીથી કરેલુ હોય તેવું લાગે છે.જેના લીધે પહેલાં જ વરસાદમાં ખાડા પડી ગયા છે.જેનાં લીધે ખુબ ટ્રાફિક જામ થાય છે અને જ્યાં આરસીસી કામ થયેલ છે.તેમાં બાજુમાં બીજી રોડની પટ્ટી બને તેમના જોઈન્ટ માટે લોખંડના સરીયા લગાવેલ નથી.જેનાં લીધે રોડ જોઈન્ટ થશે નહીં તેવું લાગી રહ્યું છે.આવાં ભષ્ટ્રાચારનાં અનેક તંત્ર સામે આક્ષેપો કર્યા છે અને તંત્ર યોગ્ય રીતે કામની ચકાસણી કરે એવી માંગ પણ કરવામાં આવી છે






Latest News