મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત


SHARE

















મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત

મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ ટીંબાવાડી વિસ્તારમાં ટીસી પાસે કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે કોઈ અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પટેલનગરમાં રહેતા જગદીશભાઈ બેચરભાઈ કાવર (56)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે મહેન્દ્રનગર ગામની સીમમાં તેઓની વાડી પાસે ટીંબાવાડી વિસ્તારમાં આવેલ ટીસી (ટ્રાન્સફોર્મર) પાસે કોઈ અજાણ્યા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું છે જેથી કરીને સ્થળ ઉપર મૃત્યુ પામેલા અજાણ્યા 30 વર્ષના યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની બી ડિવિઝન પોલીસે નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં તજવીજ હાથ ધરવામાં આવી છે

મહિલા સારવારમાં

મોરબીમાં રહેતા રીંકલબેન કિશનભાઈ (29) નામની મહિલાને પાડોશીએ પેટના ભાગે લાત મારતા તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાહન અકસ્માતમાં ઇજા

અજમેરના રહેવાસી સિકંદરભાઈ હાસીમભાઈ કટાર (37)ને મોરબીના માળિયા ફાટક પાસે આવેલ ઓરબ્રિજ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીમાં પાડા પુલ નીચેના ભાગમાં રહેતા ભાનુભાઈ બાબુભાઈ વાઘેલા (35)ને ઝઘડો મારામારીમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News