મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી મનપામાં કમિશનરના અધ્યક્ષ સ્થાને બે ધારાસભ્યોની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ: પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને ઉકેલવાના કામને આપશે પ્રાધાન્ય


SHARE







મોરબી મનપામાં કમિશનરના અધ્યક્ષ સ્થાને બે ધારાસભ્યોની હાજરીમાં સંકલનની બેઠક યોજાઈ: પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને ઉકેલવાના કામને આપશે પ્રાધાન્ય

મોરબી મહાપાલિકાના સભાખંડમાં આજે સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે ધારાસભ્યો હાજર રહ્યા હતા અને શહેરમાં લાઈટ, પાણી, રોડ-રસ્તાને લગતા જે પ્રશ્નો છે તેને ઉકેલવા માટે થઈને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. અને આગામી સમયમાં રોડ રસ્તા સહિતના જે વિકાસ કામો હાથ ધરવામાં આવનાર છે તેની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ નંદકુવરબા રેન બસેરા ખાતે આજે કમિશનર સ્વપ્નિલ કરીની અધ્યક્ષતામાં આજે સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા હાજર રહ્યા હતા અને ખાસ કરીને છેલ્લા દિવસોમાં મોરબીમાં ચોમાસાના કારણે લાઇટ, પાણી, રોડ રસ્તા, સફાઈ, ગટર સહિતના જે પ્રશ્નો ઊભા થયા હતા તેના નિકાલ માટે કરવામાં આવેલ કામગીરીની

સમિક્ષા કરવામાં આવી હતી અને ત્યાર બાદ આગામી દિવસોમાં જે પ્રાથમિક સુવિધાને લગતા કામોને પ્રાધાન્ય આપવામાં આવે તેના માટે ધારાસભ્ય દ્વારા અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી

આ બેઠક પછી કમિશનર સ્વપ્નિલ ખરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીના જુદાજુદા ત્રણ બગીચાની કાયાપલટ કરવા માટે તથા પાનેલીના તળાવમાંથી મોરબીના સામાકાંઠા વિસ્તારના લોકોને પીવાનું પાણી મળે તે માટેની જે વ્યવસ્થાઓ કરવાની છે તેની ચર્ચા અને જુદા જુદા વિસ્તારમાં રોડ રસ્તાના બનાવવા માટેના જે કામો હાથ ધરવાના છે તે અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.

તો મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, લોકોના પ્રાથમિક સુવિધાને લગતા જે પ્રશ્નો છે તેનો ઝડપથી ઉકેલ આવે તેના માટેનું કામ કરવામાં આવી રહ્યું છે સાથોસાથ ગટરના પ્રશ્નો ઉકેલવા માટે બે જેટિંગ મશીન રાજકોટ મહાપાલિકા પાસેથી મોરબીને હાલમાં આપવામાં આવ્યા છે અને આગમી માહિનામાં વરસાદ ન હોય તો રોડના કામ શરૂ કરવા માટેનું પણ આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું અને અંતમાં કહ્યું હતું કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે જે ફલાયઓવર બ્રિજ બની રહ્યો હતો તેની હાલમાં ડિઝાઇન ચેન્જ કરવામાં આવી છે તેનાથી લોકોને ઘણો ફાયદો થશે.






Latest News