હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ
Breaking news
Morbi Today

મોરબીનું વનાળીયા (શારદાનગર) ગામ આઝાદીથી આજ સુધીમાં પ્રથમ વખત બન્યું સમરસ


SHARE













મોરબીનું વનાળીયા (શારદાનગર) ગામ આઝાદીથી આજ સુધીમાં પ્રથમ વખત બન્યું સમરસ

મોરબી તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ન યોજાઈ અને ગામ સમરસ થાય તે માટે થઈને આગેવાનો દ્વારા પ્રયત્નો કરતા હોય છે ત્યારે જો વાત કરીએ મોરબીના વનાળીયા (શારદાનગર) ગામની તો આઝાદીથી અત્યાર સુધીમાં દર વખતે પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી યોજાઇ હતી પરંતુ આ વર્ષે અન્ય લોકોને પણ ઉદાહરણ પૂરું પાડે તેવું કામ કરીને વનાળિયા ગામના આગેવાનો દ્વારા ગ્રામ પંચાયતને સમરસ કરવામાં આવી છે

મોરબી જિલ્લાના કુલ મળીને ૩૦૩ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે જો વાત કરીએ મોરબી તાલુકામાં આવતા વનાળીયા (શારદાનગર) ગામની તો આ ચુંટણીમાં ગામની અંદર સરપંચની બેઠક સામાન્ય બેઠક હતી તેમ છતાં પણ ગામના આગેવાનો અને વડીલો દ્વારા ગામમાં ચૂંટણી ન યોજાઈ અને ગ્રામ પંચાયત સમરસ થાય તેમજ ગામની અંદર વિકાસકામો સારી રીતે કરી શકાય તે માટે થઈને ગામને સમરસ કરવા માટેની કવાયત શરૂ કરી હતી અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે આ ગામ પ્રથમ વખત સમરસ કરવામાં આવ્યું છે અને આ વખતે વનાળીયા સરદાનગર ગામના સરપંચ તરીકે લુઢર અબ્દુલભાઈ અલીભાઈને જવાબદારી સોંપવામાં આવી છે ત્યાર બાદ અજાણા શોભાબેન, સુમરા નસિમબેન, વિલપરા નારણભાઈ, ગામી ચતુરભાઈ, દેકાવાડીયા સુરેશભાઈ, લુઢર જીવણબેન, નકુમ રંજનબેન અને વાઘેલા રમેશભાઈને નવી બોડીની અંદર સમાવેલ છે

 

કોટડા નાયણી

વાંકાનેરના કોટડાનાયાણી ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણી ન યોજાઇ તે માટે ગામના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અને તેના ફળ સ્વરૂપે કોટડાનાયાણી ગામને સમરસ કરવા આગેવાનોને સફળતા મળેલ છે અને સરપંચ તરીકે ચકુભાઈ જેરામભાઈ ગોરીયા, ભગીરથસિંહજી ઘનશ્યામસિંહજી જાડેજા, બળદેવસિંહજી નોઘુભા, ધર્મેન્દ્રસિહજી લધુભા, રાજેન્દ્રસિંહજી ચનુભા, ગણેશભાઈ વશરામભાઇ પટેલ, કાળુભાઇ મેતર અને યાસીનબેન હબીબભાઈ સંધી ફોર્મ ભરવા ગયેલ હતા.






Latest News