વાંકાનેરમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને તેના પાડોશી સહિત ત્રણ શખ્સોએ મારમાર્યો
માળીયા મીયાણાના લાંચ કેસમાં વચેટીયા બાદ હવે એસીબીની ટીમે કોન્સ્ટેબલની કરી ધરપકડ
SHARE









માળીયા મીયાણાના લાંચ કેસમાં વચેટીયા બાદ હવે એસીબીની ટીમે કોન્સ્ટેબલની કરી ધરપકડ
માળીયા મીયાણા તાલુકામાં ખોટા કેસમાં ફિટ નહીં કરવાના બદલામાં રૂપિયા એક લાખની લાંચ માંગવામાં આવી હતી જે રકમ સ્વીકારતા વચેટીયાને સુરેન્દ્રનગર એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લીધો હતો જે ગુનામાં હવે એસીબીની ટીમે કોન્સ્ટેબલની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.
જાણવા મળતી વિગત મુજબ માળીયા મિયાણા તાલુકામાં રહેતા એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહિ કરવાના બદલામાં માળીયા મિયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ શિયાર દ્વારા એક લાખની લાંચ માંગવામાં આવી હતી. જો કે, અરજદાર ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી સુરેન્દ્રનગર એસીબી ટીમને ફરિયાદ કરી હતી જેથી એસીબી ટીમે માળીયાની ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવતા કોન્સ્ટેબલ રાયમલભાઈ વતી લાંચની રકમ સ્વીકારતા ગુલામરસુલ હૈદરભાઈ જામ નામના વ્યક્તિને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારબાદ એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચ માંગનાર કોન્સ્ટેબલ સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં કોન્સ્ટેબલને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી દરમિયાન આ ગુનાની તપાસ કરી રહેલા દ્વારકા એસીબીના પીઆઇ એ.સી.શર્માની ટીમ દ્વારા એક્ષેપીત કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ શિયાર (27) રહે.ખાખરેચી તા.માળીયા મીંયાણા જી.મોરબી ની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

