ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના મયુર પુલ ઉપર સેવાભાવીઓ દ્રારા પક્ષીઓને ચણ નાખવામાં આવતું હોય બેસી શકાતું નથી,મયુર પુલે બાંકડા મુકવા, પિકનિક સેન્ટર ચાલુ કરવા અને શહેરના મુખ્ય માર્ગમાં બંધ પડેલા ફુવારા ચાલુ કરવા માંગ


SHARE













મોરબીના મયુર પુલ ઉપર સેવાભાવીઓ દ્રારા પક્ષીઓને ચણ નાખવામાં આવતું હોય બેસી શકાતું નથી,મયુર પુલે બાંકડા મુકવા, પિકનિક સેન્ટર ચાલુ કરવા અને શહેરના મુખ્ય માર્ગમાં બંધ પડેલા ફુવારા ચાલુ કરવા માંગ
 
 
મોરબીનો મયુરબ્રીજ એટલે કે મયુર ચોપાટી કેજે શહેરમાં એકમાત્ર ફરવા તથા બેસવાનુ સ્થળ છે.ત્યાં પક્ષીઓને ચણ, સેવ-ગાંઠીયા નાંખીને ગંદકી કરવામાં આવતા લોકો બેસી શકે તેમ ન હોય ત્યાં બાકડા મુકવામાં આવેલ છે.તેમાં વધારો કરવામાં આવે તે જરૂરી છે.વધુ બાકડા મુકવા વૃધ્ધો તથા પ્રજાજનોની પણ માંગણી છે.અગાઉ પણ આ બાબતે સામાજીક કાર્યકરોએ અરજી આપેલ છે.છતાં હજુ સુધી બાંકડા મુકેલ નથી જે તે વિભાગને પુછવામાં આવે છે ત્યારે એમ કહે છેેકે શાંતી રાખો થઈ જાશે.. તો આ અરજને ઘ્યાનમાં લઈને કમિશ્નર તાત્કાલલીક બાંકડા મુકાવે તથા બંધ ફુવારા ચાલુ કરાવો તેવી માંગ ઉઠી છે.
 
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઇ, ગીરશભાઇ છબીલભાઈ કોટેચા વિગેરેએ મહાનગર પાલીકાના કમિશ્નર અને ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને લેખીતમાં અરજ કરેલ છેકે મોરબીમાં હાલ મહાનગર પાલીકા બની પછી હવે મોરબીમાં ફરવા જેવા સ્થળ હોવા જોઇએ જે નથી પરંતુ જે ફરવા જેવી જગ્યા છે તે મયુર પુલની ઉપર વધુ બાકડા મુકવા જોઇએ.હાલ પાલીકા કચરાના જયાં ગંજ હતા તે ઉકરડા સાફ કરી ત્યાં બાંકડા મુકે છે તે સારી બાબત છે.પણ ત્યાં લોકો કેવી રીતે બેસી શકે ? તેથી સારી જગ્યાએ બાંકડા મુકવામાં આવે તો તેનો ઉપયોગ થાય.જે લોકો મયુર પુલ ઉપર બેસવા આવે છે તેમને નીચે બેસવુ પડે છે.જેવાકે પીકનીક સેન્ટર શોભેશ્વર રોડ પર આવેલ છે.વર્ષે જુનુ રાજા રજવાડાનું ફરવા જેવુ સ્થળ જે હાલમાં ખંઢેર હાલતમાં હોવાથી તેમાં આવારા તત્વોએ અડીંગો જમાવી દીધો છે.તો આ પીકનીક સેન્ટર રીનોવેશન માટે મોરબી મહાનગરપાલીકાના કમિશ્નરએ રીનોવેશન કરાવવુ જોઇએ.જો આ પીકનીક સેન્ટર ફરીને ઉભુ થાય માણસો ઉનાળમાં ત્યાં વોટર પાર્ક થઇ શકે ત્યાં અગાઉ પણ વોટર પાર્ક જેવુ જ હતુ. આશરે ૩૦ વર્ષથી આ પીકનીક સેન્ટર બંધ કરેલ છે.તો ફરીને રીનોવેશન થાય એવી પ્રજાજનોની માંગ છે. ત્યાં વૃક્ષો પણ વાવવામાં આવે એવા સામાજીક કાર્યકરોની માંગ છે આ અરજી ને ઘ્યાન માં લઇને તાત્કાલીક ધોરણે કામ શરૂ કરાવા તથા દરબારગઢ, સરકારી હોસ્પીટલ પાસે, સરદાર વલ્લભભાઈ પટેલના પુતળા પાસે, મયુર પુલ પાસે તથા મોરબીમાં અનેક જગ્યાએ તથા સર્કલ ઉપર ફુવારા ચાલુ છે દે બંધ હાલતમાં હોય ચાલુ કરાવો તો મોરબીમાં રોનક આવે તેવી રજુઆત કરવામાં આવેલ છે.





Latest News