મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારાની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

ટંકારા કોર્ટમા ફરીયાદી રજનિકાંત દેવાભાઈ જારીયાએ આરોપી મીલનભાઈ ભાલોડીયાને હાથ ઉછીનના ૫૦,૦૦,૦૦ આપેલ હતા અને મીલનભાઈ ભાલોડીયાએ તે રકમ પરત આપવા માટે ચેક આપેલ હતો જે ચેક બેંકમા જમા કરાવતા અપુરતા નાણા ભંડોળના કારણે પરત ફરેલ હતો જેથી આ કામના ફરીયાદી રજનિકાંત દેવાભાઈ જારીયાએ આરોપી ઉપર ચેક રીર્ટન અંગેની ફરીયાદ કો.કે.ન.૭૫૧/૨૦૨૨ થી ટંકારા કોર્ટમા દાખલ કરેલ હતી જે ફરીયાદ ટંકારા કોર્ટમા ચાલી જતા આરોપી મિલનભાઈ ભાલોડીયાના વકીલ જયદીપ બી.પાંચોટીયા, ગીરીશ બી.અંબાણી, કે.બી.ચૌહાણ દ્વારા કરવામાં આવેલ દલીલ અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી જે.બી.પાંચોટીયા, ગીરીશ બી.અંબાણી તથા કે.બી.ચૌહાન વકીલ તરીકે રોકાયેલ હતા.




Latest News