ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વિકાસની પોલ ખોલતી કોંગ્રેસ: મોરબીના લીલાપર રોડે એક વર્ષ પહેલા તૂટી ગયેલ પુલ હજુ બન્યો નથી !


SHARE













વિકાસની પોલ ખોલતી કોંગ્રેસ: મોરબીના લીલાપર રોડે એક વર્ષ પહેલા તૂટી ગયેલ પુલ હજુ બન્યો નથી !

મોરબીના લીલાપર રોડ ઉપર રાજાશાહીના વખતમાં બનેલ પુલ તૂટી ગયો છે જેને એક વર્ષ જેટલો સમય થઈ ગયેલ છે. અને આજની તારીખે પણ પુલ ફરી બનાવવામાં આવેલ નથી જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને અવર-જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે માટે કોંગ્રેસ દ્વારા આજે પોલ ખોલ કાર્યક્રમ અંતર્ગત તૂટેલા પુલ પાસે જઈને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને એક વર્ષ પછી પણ પુલનું કામ હજુ કેમ શરૂ કરવામાં આવ્યું નથી તેવો સવાલ કરીને ભાજપની વિકાસની વાતોની કોંગ્રેસ દ્વારા પોલ ખોલવામાં આવી હતી

સરકાર દ્વારા વિકાસ કામો કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પરંતુ જે કામ માટે ગ્રાન્ટ આપવામાં આવતી હોય તે કામ સમયસર થતા નથી જેના કારણે લોકોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળતી હોય છે તેવામાં મોરબી શહેરની વાત કરીએ તો મોરબીના લીલાપર રોડ ઉપર લીલાપર ગામ તરફ જવાનો જે રસ્તો આવેલો છે તે રસ્તા ઉપર રાજાશાહીના સમયમાં બનેલ પુલ ગત શ્રાવણ મહિનામાં તૂટી ગયો હતો અને ત્યારે આ પુલ જિલ્લા પંચાયતની અંડરમાં આવતો હતો જો કે, એક વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ આજની તારીખે તે પુલ બનાવવા માટેની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવી નથી દરમ્યાન મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી છે જેથી આ રસ્તો હવે મહાનગરપાલિકામાં આવે છે ત્યારે એક વર્ષથી પુલ તૂટી ગયો હોવાના કારણે લોકોને ડાયવર્ઝનના રસ્તા ઉપરથી પસાર થવું પડે છે અને જ્યારે વરસાદ હોય ત્યારે ડાયવર્ઝન ઉપર પાણી આવી જતું હોવાના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આવી પરિસ્થિતિ હોવા છતાં પણ ઝડપથી પુલ બનાવવા માટેની કામગીરી કેમ કરવામાં આવતી નથી તેવો સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને વધુમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા અને શહેર કોંગ્રેસ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે પણ અધિકારીને પૂછવામાં આવે ત્યારે ટેન્ડર અપાઈ ગયું છે, ટેન્ડર ભરાઈ ગયું છે, ટેન્ડર ખુલ્લી ગયું છે વિગેરે જેવા જવાબ આપવામાં આવે છે પણ પુલ બનાવવા માટેની નક્કર કામગીરી આજની તારીખે પણ ચાલુ કરવામાં આવેલ નથી. જોકે આ બાબતે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ પુલનું કામ મંજૂર થઈ ગયું છે અને ચોમાસા બાદ તે પુલ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે






Latest News