મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

આઝાદ ભારતનું અનોખુ ગામ: મોરબીના નાગડાવાસમાં લોકો નક્કી કરે તે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય


SHARE











આઝાદ ભારતનું અનોખુ ગામ: મોરબીના નાગડાવાસમાં લોકો નક્કી કરે તે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય

ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવી હતી અને મોટાભાગના ગામની અંદર ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્યો માટે ચૂંટણી યોજાતી હોય છે ત્યાર બાદ સરપંચ અને સભ્યો નક્કી કરવામાં આવતા હોય છે જો કે, મોરબી જિલ્લામાં આવેલ નાગડાવાસ એવું ગામ આવેલું છે કે જે ગામની અંદર આઝાદી બાદ આજ સુધીમાં એક પણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને ગામના લોકો દ્વારા દર વખતે જ્યારે ચૂંટણી જાહેર કરવામાં આવે ત્યારે ચૂંટણી પહેલાં જ ગામની અંદર નવા સરપંચ કોણ બનશે અને સભ્ય તરીકે કોને લેવામાં આવશે તે નક્કી કરી દેવામાં આવે છે

મોરબી જિલ્લામાં ૩૦૩ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તે પૈકીની કેટલીક ગ્રામ પંચાયતો સરકારી ગ્રાન્ટ મળે તે માટે તેને સમરસ કરવા માટે આગેવાનો, વડીલો અને ગામના યુવાનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની છે જોકે અહીં આપણે વાત કરીએ છીએ મોરબી તાલુકાના નાગડાવાસ ગામની કે જે આઝાદી પછી એટલે કે જ્યારથી ભારત દેશ આઝાદ થયો અને પંચાયતી રાજ આવ્યું ત્યારથી લઈને આજ સુધીમાં એક પણ વખત આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી તેવું સુખાભાઇ ડાંગરે જણાવ્યુ છે

હાલમાં નાગડાવાસ ગામના વડીલો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આઝાદી બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી ત્યાર બાદ ગામની અંદર ચૂંટણીને લઈને કોઈપણ પ્રકારના વાદવિવાદ કે વિખવાદ ન થાય અને ગામમાં સહુકોઈ મળીને એકસંપ થઈને રહે તેવી સારી ભાવના સાથે ગામના વડીલો દ્વારા ગામની અંદર પંચાયત સમરસ બને તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્ષોથી વડીલોએ જે ચીલો ચાતરિયો છે તેના ઉપર આજની યુવા પેઢી પણ ચાલી રહી છે તેવું કરશનભાઇ ટાપુભાઇએ જણાવ્યુ છે

આ વખતે વસંતભાઇ મિયાત્રાને સર્વાનુમતે સરપંચ બનાવવામાં આવેલ છે તેના કહેવા મુજબ ૧૯૬૨થી નાગડાવાસ ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને દર વખતે ગામ પંચાયતની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ગામના વડીલો અને આગેવાનો મળીને નવા સરપંચ અને સભ્યોને નક્કી કરી લેતા હોય છે અને જે લોકોના નામ ગામના વડીલો દ્વારા સરપંચ અને સભ્યો માટે મૂકવામાં આવે છે તેને સમગ્ર ગામ દ્વારા આવકારવામાં આવે છે અને તેને જ સરપંચ અને સભ્યો તરીકે ગ્રામ પંચાયતમાં લેવામાં આવે છે આવી જ રીતે આ વખતે પણ ગ્રામ પંચાયતની ચૂંટણી હાલમાં જાહેર કરવામાં આવી છે ત્યારે ગામમાંથી વડીલોએ નક્કી કરેલા સરપંચ અને સભ્યો જાહેર કરવામાં આવ્યા છે અને આવી જ પ્રથા આગામી સમયમાં પણ જળવાઈ રહે તેવી લાગણી ગામના આગેવાનો અને વડીલોએ વ્યક્ત કરી છે






Latest News