ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને ત્રાસ આપવાના કેસમાં સાસરિયાંનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં પરિણીતાને ત્રાસ આપવાના કેસમાં સાસરિયાંનો નિર્દોષ છુટકારો

મોરબીમાં રહેતી મહિલાએ તેના પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ કરી હતી જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો અને આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે

આ કેશની વકીલ પાસેથી મળેલ હકીકત એવી છે કે, ફરીયાદી જયશ્રીબેન દાનાભાઇ પરમારને વર્ષ 2018 માં તેમના પતિએ ઝગડો કરી ગાળો આપીને ઢિકાપાટુનો માર માર્યો હતો અને તેના સાસુ-સસરા અને નંણદ અવાર નવાર ઘરના કામકાજ બાબતે મહેણા ટોણા મારતા અને શારીરીક અને માનસીક દુઃખ ત્રાસ આપતા અને અન્ય આરોપીઓએ ઝગડો કરી મારમારીના ગુન્હામાં એકબીજાને મદદગારી કરતાં હતા તેવી ફરિયાદ કરી હતી જેથી મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં આઇપીસી ની કલમ- 498(ક), 323, 504, 114 મુજબ ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની ચિફ જ્યુ.મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીના વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે આ કેસમાં આરોપી વતી મોરબીના સનીયર વકીલ અને નોટરી બી.બી.હડીયલ રોકાયેલ હતા.






Latest News