મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ: ક્ષતિગ્રસ્ત સરકારી ઈમારતોનો અહેવાલ રજૂ કરવા કલેક્ટરની સુચના


SHARE













મોરબીમાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ: ક્ષતિગ્રસ્ત સરકારી ઈમારતોનો અહેવાલ રજૂ કરવા કલેક્ટરની સુચના

મોરબી કલેક્ટર કચેરીના સભા ખંડમાં કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લામાં આવેલ સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ & પબ્લિક સેફટી અન્વયે બેઠક યોજાઇ હતી અને આ બેઠકમાં કલેક્ટર દ્વારા જીલ્લામાં આવેલ ક્ષતિગ્રસ્ત સરકારી ઈમારતોનો અહેવાલ રજૂ કરવા કલેક્ટર દ્વારા સુચના આપવામાં આવેલ છે.

આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે, માર્ગ અને મકાન, જળસંપતિ, પાણી પુરવઠા, નર્મદા, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ, શહેરી વિકાસ, પંચાયત, ગ્રામ વિકાસ વગેરે હસ્તકની ઇન્ફ્રાસ્ટ્રકચરલ સુવિધાઓ જેવી કે રોડ, ડેમ, બ્રિજ, કેનાલ, બિલ્ડીંગ, હોસ્ટેલ, પંચાયત ઘર, સરકારી આવાસો, સરકારી હોસ્પિટલ, પીએસસી, સીએચસી, શાળાઓ, આંગણવાડી સહિત અન્ય તમામ સરકારી ઇમારતોની સ્ટ્રકચરલ સેફટી માટે હાલના સરકારી ધારા ધોરણો મુજબ ઇન્સ્પેક્શન કરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી.

જિલ્લામાં પીવાના પાણીની તથા સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પીએમ પોષણ યોજના, શ્રમિક અન્નપૂર્ણા, હોટ કુક્ડ મીલ તેમજ વિવિધ હોસ્ટેલ્સમાં નાગરિકોને આપવામાં આવતા ભોજનની યોગ્ય ગુણવત્તા જળવાય તે બાબતે પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. વધુમાં સરકારી બાંધકામ ક્ષતિગ્રસ્ત કે જર્જરિત હોય તો તેનો તાકિદે કરવા જણાવ્યું હતું, જેથી સંભવિત દુર્ઘટના ટાળી શકાય. આ બેઠકમાં ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, આરએસસી એસ.જે. ખાચર, ડીઆરડીએના નિયામક એન.એસ. ગઢવી, મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News