મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં. ૨ ની વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કરાયો વાંકાનેર તાલુકામાં કલેક્ટરના જાહેરનામના ભંગ સબબ સુપરવાઇઝર, કોન્ટ્રાકટર અને કારખાનેદાર સામે ગુના નોંધાયા ટંકારાના લજાઈ ગામે માલિકીના પ્લોટમાં મોબાઈલ ટાવર ઊભો કરવાની વાતમાં વૃદ્ધ અને તેની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ સાવધાન: ટંકારાના ઘુનડા ગામે રહેતા યુવાનના વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપના કરતાની સાથે જ બેંક એકાઉન્ટમાંથી 12.50 લાખ ઉપડી ગયા ! મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિકનું નિયમન કરાવતા કોન્સટેબલને દંપતીએ માર મારીને માથું ફાડી નાખ્યું ! મોરબીના ઘૂળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં ગયેલ મહિલાને ત્રણ શખ્સોએ સોરીયાના હાથા વડે માર માર્યો મોરબીના રવાપર ગામે જુગાર રમતા 8 મહિલા પકડાઈ: દેવીપુર ગામે વાડીએ જુગારની રેડ 3 પકડાયા 1 ફરાર: વાંકાનેરમાં વરલીના આંકડા લેતા 1 ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો


SHARE















મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો

સૌરાષ્ટ્રના સાવજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મોરબીમાં આવેલ શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયા અને તેના પરિવાર દ્વારા મહાપ્રસાદ યોજીને સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશ નુ ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડીયાનો જન્મ તા.૮-૧૧-૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન સામાજીક, રાજકીય, ધાર્મિક સહીત ના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાવ્યુ છે. નિડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા નુ તા.૨૯-૭-૨૦૧૯ ના રોજ દુઃખદ અવસાન થયુ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત શોકમગ્ન થયુ હતુ. પરંતુ તેમના કર્મો ની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે ત્યારે તા.૨૯-૭-૨૦૨૫ ના રોજ તેમની છઠ્ઠી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબીના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ-એસ્સાર પેટ્રોલ પંપ-ત્રાજપર વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા દ્વારા મોરબીના જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે કૃષિતભાઈ સુવાગીયા, મંગળજીભાઈ સુવાગીયા, નરેન્દ્રભાઈ સંઘાત, અનિલભાઈ સુવાગીયા, રાજદીપભાઈ સુવાગીયા, બાબુભાઈ સુવાગીયા, કે.પી.ભાગીયા, મનસુખભાઈ કલસરીયા, જયેશભાઈ ગોસ્વામી, જગદીશભાઈ વામજા, ભરતભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મયુરભાઈ રામાણી, ભરતભાઈ રાબડીયા સહીતના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ સહિતના હાજર રહ્યા હતા.




Latest News