મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ


SHARE







મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ

વાદળછાયા વાતાવરણમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ કેટલીક બાબતોની ખાસ કાળજી રાખવામાં આવે તે હિતાવહ છે. આત્મા પ્રોજેક્ટની માર્ગદર્શિકા મુજબ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં વાદળ છાયા વાતાવરણ (એટલે કે વરસાદી, ભેજવાળું અથવા ઓછા સૂર્યપ્રકાશવાળું વાતાવરણ) દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે છણાવટ કરવામાં આવી છે, જે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો પર આધારિત છે.

વાદળ છાયા વાતાવરણમાં જમીનમાં ભેજનું પ્રમાણ વધે છે. આવા સમયે વાપ્સા (Whapasa) પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે, જેમાં જમીનમાં પાણી અને હવાનું સંતુલન જળવાય. વધુ પડતા પાણીના નિકાલ માટે ખેતરમાં યોગ્ય નિકાલી વ્યવસ્થા (drainage) બનાવવી. ખેતરમાં આચ્છાદન (Mulching) નો ઉપયોગ કરવો, જે જમીનમાં ભેજ જાળવી રાખે છે અને વધુ પડતા પાણીના બાષ્પીભવનને અટકાવે છે. આ માટે શેરડીના પાંદડા, ઘાસ, અથવા ખેતરના કાર્બનિક કચરાનો ઉપયોગ કરી શકાય. વાદળ છાયા વાતાવરણમાં જીવામૃતનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો, કારણ કે વધુ ભેજમાં તેની અસર ઓછી થઈ શકે છે. જીવામૃતને સીધું જમીનમાં નાખવાને બદલે, સ્પ્રે દ્વારા પાંદડા પર છાંટવું વધુ ફાયદાકારક રહે છે. ઘન જીવામૃતનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવો, પરંતુ તેને વધુ ભેજવાળી જમીનમાં નાખતા પહેલા જમીનનું ભેજનું પ્રમાણ તપાસી લેવું.

વાદળ છાયા વાતાવરણમાં બીજનું વાવેતર કરતા પહેલા બીજામૃતથી બીજની સારવાર કરવી, જેથી બીજને ફૂગ અને રોગોથી રક્ષણ મળે. આ ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં મહત્વનું છે, જ્યાં ફૂગનો હુમલો વધી શકે છે. વાદળ છાયા વાતાવરણમાં એક જ પાકને બદલે મિશ્ર પાક (Mixed Cropping) અને સહજીવન પાક (Companion Cropping) ની પદ્ધતિ અપનાવવી. ઉદાહરણ તરીકે, મકાઈ સાથે તુવેર અથવા કઠોળનું વાવેતર કરવું, જે જમીનની ફળદ્રુપતા જાળવે છે અને રોગોનું જોખમ ઘટાડે છે. ભેજવાળા વાતાવરણમાં જંતુઓ અને રોગોનો હુમલો વધી શકે છે. આ માટે દેશી ગાયના ગૌમૂત્ર અને છાણ આધારિત કુદરતી જંતુનાશકો (જેમ કે નીમાસ્ત્ર અથવા દશપર્ણી) નો ઉપયોગ કરવો. આ રાસાયણિક જંતુનાશકોનો વિકલ્પ છે અને પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતા.






Latest News