મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ઘૂળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં ગયેલ મહિલાને ત્રણ શખ્સોએ સોરીયાના હાથા વડે માર માર્યો


SHARE











મોરબીના ઘૂળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં ગયેલ મહિલાને ત્રણ શખ્સોએ સોરીયાના હાથા વડે માર માર્યો

મોરબીના ઘૂળકોટ ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ગયેલ અનુસૂચિત જાતિના મહિલાને ત્રણ શખ્સો દ્વારા જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા અને સોરિયાના હાથા વડે મહિલાને વાસાના ભાગે માર મારીને આને મૂકવી નથી તેવું કહીને તેને ધમકી આપી હતી અને ગાળો આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂળકોટ ગામે અનુસૂચિત જાતિવાસમાં રહેતા નીમુબેન રમણીકભાઈ પરમાર (45)એ હાલમાં જેરામભાઈ ચકુભાઈ રાઠોડ, નરેશભાઈ જેરામભાઈ રાઠોડ અને લાલભાઈ જેરામભાઈ રાઠોડની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે એકાદ મહિના પહેલા ધુળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં તેઓ ગયેલા હતા તે બાબતનો ખાર રાખીને ત્રણેય આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદી મહિલા જ્યારે જેરામભાઈ રાઠોડની વાડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને આપણા મંદિરમાં પ્રવેશ કર્યો હતો તેમ કહીને હાથમાં સોરીયા લઈને આવીને તેના હાથા વડે ફરિયાદી મહિલાને વાસાના ભાગે મારમાર્યો હતો અને આને મૂકવી નથી તેમ કહીને ધમકી આપીને ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ઇજા પામેલ બાળક સારવારમાં

મોરબીના ભડીયાદ ગામે રહેતા દિવ્યેશભાઈ ભોજવીયાનો 10 વર્ષનો દીકરો પરિન લાતી પ્લોટ વિસ્તારમાં બાઈકમાંથી પડી જતા તેને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News