મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીના ચકચારી એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીના ચકચારી બળાત્કારના કેસમાં બે આરોપીને પકડવામાં આવ્યા હતા જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલની દલીલો તથા હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં ફરીયાદ પક્ષની ટુંકમાં હકીકત એવી છે કે ભોગ બનનારે તા. ૪-૮-૧૯ થી તા.૨૫-૮-૧૯ ના કલાક ૨૩-૫૫ ના સમય ગાળા દરમ્યાન આરોપી જયસુખ ઉર્ફે જયેશ મનસુખભાઈ બાવરવાએ આ કામના ભોગ બનનાર ફરીયાદી બેન અનુ.જાતીના હોવા અંગેનુ જાણવા છતાં ફરીયાદી બેન મજુરી કામ કરતા હતા ત્યારે અવાર નવાર અશ્લીલ ઈશારા કરી તેમજ તેમની ઈચ્છા વિરૂધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંથી પ્રવેશ જાતીય હુમલો કરી આ વાતની કોઈને વાત કરીશ તો જાનથી મારી નાંખવાની ઘમકી તેમજ આરોપી દિપક દશરથભાઈ અણેવાડીયા જયસુખે જે કર્યુ તે જોણતા હોવા છતાં આ વાત કોઈને કરશે તો બંન્ને ભેગા મળી જાનથી મારી નાંખવાની ઘમકી આપીને ગાળો આપી હતી તેમજ ફરીયાદી બેનના અશ્લીલ ફોટા મેળવી ફરીયાદીના સંબંધીઓને વોટસએપ દ્રારા મોકલી બદનામ કરી ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાની ફરીયાદ આપેલ હતી. જે કેસ મોરબીની સ્પે.એટ્રોસીટી કોર્ટના ન્યાયધીશ એડી.સેસન્સ જજ શ્રી એમ.આર.નાદપરા સાહેબની કોર્ટ માં ચાલી જતા આરોપીઓના વકીલ મનીષ પી.ઓઝા (ગોપાલ ઓઝા) ત્યા કુ.મેનાઝબેન એ.પરમારએ કરેલ ઘારદાર દલીલો તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરતા આરોપીઓના વકીલ મનીપ પી.ઓઝાની દલીલો માન્ય રાખીને આરોપીઓને એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.આરોપીઓ તરફે વકિલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) રોકાયેલ હતા.






Latest News