મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીના ચકચારી એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીના ચકચારી બળાત્કારના કેસમાં બે આરોપીને પકડવામાં આવ્યા હતા જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલની દલીલો તથા હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં ફરીયાદ પક્ષની ટુંકમાં હકીકત એવી છે કે ભોગ બનનારે તા. ૪-૮-૧૯ થી તા.૨૫-૮-૧૯ ના કલાક ૨૩-૫૫ ના સમય ગાળા દરમ્યાન આરોપી જયસુખ ઉર્ફે જયેશ મનસુખભાઈ બાવરવાએ આ કામના ભોગ બનનાર ફરીયાદી બેન અનુ.જાતીના હોવા અંગેનુ જાણવા છતાં ફરીયાદી બેન મજુરી કામ કરતા હતા ત્યારે અવાર નવાર અશ્લીલ ઈશારા કરી તેમજ તેમની ઈચ્છા વિરૂધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંથી પ્રવેશ જાતીય હુમલો કરી આ વાતની કોઈને વાત કરીશ તો જાનથી મારી નાંખવાની ઘમકી તેમજ આરોપી દિપક દશરથભાઈ અણેવાડીયા જયસુખે જે કર્યુ તે જોણતા હોવા છતાં આ વાત કોઈને કરશે તો બંન્ને ભેગા મળી જાનથી મારી નાંખવાની ઘમકી આપીને ગાળો આપી હતી તેમજ ફરીયાદી બેનના અશ્લીલ ફોટા મેળવી ફરીયાદીના સંબંધીઓને વોટસએપ દ્રારા મોકલી બદનામ કરી ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાની ફરીયાદ આપેલ હતી. જે કેસ મોરબીની સ્પે.એટ્રોસીટી કોર્ટના ન્યાયધીશ એડી.સેસન્સ જજ શ્રી એમ.આર.નાદપરા સાહેબની કોર્ટ માં ચાલી જતા આરોપીઓના વકીલ મનીષ પી.ઓઝા (ગોપાલ ઓઝા) ત્યા કુ.મેનાઝબેન એ.પરમારએ કરેલ ઘારદાર દલીલો તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરતા આરોપીઓના વકીલ મનીપ પી.ઓઝાની દલીલો માન્ય રાખીને આરોપીઓને એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.આરોપીઓ તરફે વકિલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) રોકાયેલ હતા.






Latest News