મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીના ચકચારી એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીના ચકચારી બળાત્કારના કેસમાં બે આરોપીને પકડવામાં આવ્યા હતા જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલની દલીલો તથા હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં ફરીયાદ પક્ષની ટુંકમાં હકીકત એવી છે કે ભોગ બનનારે તા. ૪-૮-૧૯ થી તા.૨૫-૮-૧૯ ના કલાક ૨૩-૫૫ ના સમય ગાળા દરમ્યાન આરોપી જયસુખ ઉર્ફે જયેશ મનસુખભાઈ બાવરવાએ આ કામના ભોગ બનનાર ફરીયાદી બેન અનુ.જાતીના હોવા અંગેનુ જાણવા છતાં ફરીયાદી બેન મજુરી કામ કરતા હતા ત્યારે અવાર નવાર અશ્લીલ ઈશારા કરી તેમજ તેમની ઈચ્છા વિરૂધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંથી પ્રવેશ જાતીય હુમલો કરી આ વાતની કોઈને વાત કરીશ તો જાનથી મારી નાંખવાની ઘમકી તેમજ આરોપી દિપક દશરથભાઈ અણેવાડીયા જયસુખે જે કર્યુ તે જોણતા હોવા છતાં આ વાત કોઈને કરશે તો બંન્ને ભેગા મળી જાનથી મારી નાંખવાની ઘમકી આપીને ગાળો આપી હતી તેમજ ફરીયાદી બેનના અશ્લીલ ફોટા મેળવી ફરીયાદીના સંબંધીઓને વોટસએપ દ્રારા મોકલી બદનામ કરી ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાની ફરીયાદ આપેલ હતી. જે કેસ મોરબીની સ્પે.એટ્રોસીટી કોર્ટના ન્યાયધીશ એડી.સેસન્સ જજ શ્રી એમ.આર.નાદપરા સાહેબની કોર્ટ માં ચાલી જતા આરોપીઓના વકીલ મનીષ પી.ઓઝા (ગોપાલ ઓઝા) ત્યા કુ.મેનાઝબેન એ.પરમારએ કરેલ ઘારદાર દલીલો તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરતા આરોપીઓના વકીલ મનીપ પી.ઓઝાની દલીલો માન્ય રાખીને આરોપીઓને એટ્રોસીટી તથા બળાત્કારના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.આરોપીઓ તરફે વકિલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) રોકાયેલ હતા.






Latest News