ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં આપઘાતના બે બનાવમાં બે યુવાનના મોત


SHARE













મોરબી શહેર-તાલુકામાં આપઘાતના બે બનાવમાં બે યુવાનના મોત

મોરબીના લાભનગરમાં રહેતા યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમા લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જયારે ઉટબેટ સામપર ગામે રહેતા યુવાને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગરમાં રહેતા મુન્નાભાઈ ઉર્ફે મનસુખભાઈ વાલજીભાઈ કગથરા (37)પોતે પોતાના ઘરે હતા ત્યારે રાત્રિના 12:15 વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ.ઝાપડીયા ચલાવી રહ્યા છે

જ્યારે મોરબી તાલુકાના ટબેટ સામપર ગામે રહેતા વિશાલભાઈ શાંતિલાલ બદરખીયા (28) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ એમ.પી.ઝાલા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

વાંકાનેરમાં સરતાનપર રોડ ઉપર વીહોત હોટલની પાછળના ભાગમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દીક્ષિતભાઈ રાયધનભાઈ સુરેલા (19) રહે. સરતાનપર વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 500 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News