ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી :આબુ રોડ પર અકસ્માતે ઘવાયેલા રફાળેશ્વરના 36 વર્ષીય યુવાનનું સારવારમાં રાજકોટ ખાતે મોત


SHARE













મોરબી :આબુ રોડ પર અકસ્માતે ઘવાયેલા રફાળેશ્વરના 36 વર્ષીય યુવાનનું સારવારમાં રાજકોટ ખાતે મોત

મૂળ રફાળેશ્વર પણ પરિવારથી અલગ લાલપરના ફ્લેટમાં રહેતો અશોક રાઠોડને ગત 26મીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો: પ્રાથમિક તપાસમાં પરિવારનું માનવું છે કે, કદાચ બાઈક સ્લીપ થયું હશે, જોકે તેની સાથે ફરવા કોણ કોણ મિત્રો ગયા હતા તેની જાણકારી આજદિન સુધી ન મળતા રહસ્ય ઘેરાયું

આબુ રોડ પર અકસ્માતે ઘવાયેલા મોરબીના રફાળેશ્વરના 36 વર્ષીય યુવાનનું સારવારમાં રાજકોટ ખાતે મોત થયું છે.મૂળ રફાળેશ્વર પણ પરિવારથી અલગ લાલપરના ફ્લેટમાં એકલા રહેતો અશોક રાઠોડને ગત 26/7 ના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

પ્રાથમિક તપાસમાં પરિવારનું માનવું છે કે, કદાચ બાઈક સ્લીપ થયું હશે, જોકે તેની સાથે ફરવા કોણ કોણ મિત્રો ગયા હતા ? તેની જાણકારી આજદિન સુધી ન મળતા રહસ્ય ઘેરાયું છે.

પોલીસને મળેલ પ્રથમ નોંધ મુજબ, અશોકભાઈ દલાભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 36, રહે.રફાળેશ્વર ગામ તા. જી. મોરબી) તારીખ 25 ના રોજ મોટરસાયકલ લઈને જતો હતો.ત્યારે સિરોહી આબુરોડ ઉપર અકસ્માત થતા ઈજા થઈ હતી.આ પછી તેને મોરબી લવાયો હતો. ત્યાં સારવાર અપાઈ હતી.પછી વધુ સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તા.26 /7 ના રોજ દાખલ કરવા આવ્યો હતો.સારવાર દરમિયાન તા.1/8 ના રોજ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

પરિવારના જણાવ્યા મુજબ, અશોક લાદી ટાઇલ્સનું કામ કરતો. તેણી પત્ની રિસામણે છે. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.લાલપર ફ્લેટમાં એકલો રહેતો હતો.વાત વાતમાં પરિવારને જાણવા મળેલ કે, તે મિત્રો સાથે આબુ ફરવા ગયો હતો.પણ બનાવ ખરેખર શું બન્યો હતો એ કોઈને ખબર નથી.

ક્યાં મિત્રો સાથે ગયો હતો એ પણ પરિવારને જાણ નથી.એ હોસ્પિટલમાં દાખલ થયો પછી કોઈ મિત્રો સામે આવ્યા નથી.જેથી બનાવની હકીકત ક્રોસ ચેકીંગ માટે આબુ પોલીસનો સંપર્ક રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા કરાયો છે.






Latest News