વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં એ.બી.વી.પી. દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને સંવાદ યોજાયો


SHARE







મોરબીમાં એ.બી.વી.પી. દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિને સંવાદ યોજાયો

૬ ડિસેમ્બર એટલે કે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસને એ.બી.વી.પી. સામાજિક સમરસતા દિવસ તરીકે મનાવે છે ત્યારે મોરબીમાં એ.બી.વી.પી. શાખા દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિતે સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે સમરસતા સંવાદ યોજવામાં આવ્યો હતો

મોરબી એ.બી.વી.પી. દ્રારા ૬ ડિસેમ્બરે ડો.બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસને સામાજિક સમરસતા દિન તરીકે મનાવે છે ત્યારે તે નિમિતે સમરસતા સંવાદનુ આયોજન મોરબીની સાર્થક વિધા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા તેમા મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા બૌદ્ધિક પ્રમુખ મિલનભાઈ પૈડા ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત મોરબી નગરપાલિકા ગાંધી ચોક ખાતે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પઅર્પણ  કરવાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો






Latest News