મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંચારી રોગચાળા અટકાયત-મેલેરિયા સહિતના રોગચાળા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ


SHARE











મોરબી જિલ્લા સંચારી રોગચાળા અટકાયત-મેલેરિયા સહિતના રોગચાળા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં સંચારી રોગચાળા અટકાયત તથા મેલેરિયા નિવારણ માટે થયેલી કામગીરીની સમીક્ષા બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીકલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લામાં પાણી/ ખોરાકજન્ય રોગચાળાની સ્થિતિક્લોરિનેશનની કામગીરીમેલેરિયાડેન્ગ્યુવાયરલટાઈફોડ તથા કોલેરા જેવી બીમારીઓ અન્વયે મોરબી જિલ્લાની સ્થિતિ તથા તેની અટકાયત બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા દવા છંટકાવપાણી લીકેજ/ ક્લોરિનેશનનું યોગ્ય મોનિટરિંગ કરવા તથા ક્લોરીનટેસ્ટ અને બેક્ટેરિયોલોજિકલ તપાસ કરવા સુચના આપવામાં આવી હતી. હાલની પરિસ્થિતિએ લોકમેળા તથા અન્ય જાહેર સ્થળોએ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જળવાય તે માટે ફૂડ સેફટી ઇન્સ્પેક્શન કરવા પણ જણાવવામાં આવ્યું હતું.

મેલેરિયા તથા ડેન્ગ્યુના કેસ બાબતે જિલ્લામાં તઘન તપાસ અને સર્વ લેન્સની કામગીરી કરવા સુચના આપી મેલેરિયા ડેન્ગ્યુના કેસ ન વધે તે માટે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા પગલાની સમીક્ષા કરાઈ હતી. હોટલનેશનલ હાઈવે સહિતના રસ્તાઓ ઉપર પાણી ભરાયેલું રહેતું હોવાથી જો મચ્છરનો ઉપદ્રવ વધવાની સંભાવના હોય તેવા સંજોગોમાં નેશનલ હાઈવે ઓથોરિટી તથા સંબંધિતને નોટિસ આપવા પણ જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રાવસ્તવજિલ્લા આયોજન અધિકારી વી.બી. માંડલિયાચીફ ઓફિસરઓતાલુકા આરોગ્ય અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News