મોરબી જિલ્લા સંચારી રોગચાળા અટકાયત-મેલેરિયા સહિતના રોગચાળા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ
મોરબીના વીસીપરામાં થયેલા મારામારી કેશના આરોપીઓનો જામીન પર છુટકારો
SHARE
મોરબીના વીસીપરામાં થયેલા મારામારી કેશના આરોપીઓનો જામીન પર છુટકારો
મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં વીસીપરામાં મારામારી થયેલ જેમાં ભરવાડ પક્ષના આરોપીઓનો જામીન ઉપર છુટકારો થયેલ છે.જેતે સમયે ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીને ધર સામે ન બેસવા ઠપકો આપેલ હોય અને આ કામના ફરીયાદી આ કામના આરોપીના ધર પાસે બનાવના સમયે બનાવવાળી જગ્યાએ જતા આરોપીઓએ કુહાડી, પાઇપ, તલવાર વડે ફરીયાદી પરીવાર ઉપર હુમલો કર્યો હતો.મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગુનો નોંધીને આરોપીઓ તરીકે જીજ્ઞેશ ઉર્ફે કાનો ગોવીંદભાઈ રાવા (ભરવાડ), વિજય ગોવીંદભાઈ રાવા, મહેશ ગોવીંદભાઈ રાવા, બાબુ ગોવીંદભાઈ રાવાની ધરપકડ કરેલ હતી.
જેમા આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી.આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નાદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ રાખેલ.બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટ નુ જજમેન્ટ સંજયચંદ્ર વિ. સી.બી.આઈ. ને ધ્યાને લઈ આરોપીઓને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી.મોઘરીયા, સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, શાલીની જેઠલોજા રોકાયેલા હતા.









