મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં થયેલા મારામારી કેશના આરોપીઓનો જામીન પર છુટકારો


SHARE













મોરબીના વીસીપરામાં થયેલા મારામારી કેશના આરોપીઓનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં વીસીપરામાં મારામારી થયેલ જેમાં ભરવાડ પક્ષના આરોપીઓનો જામીન ઉપર છુટકારો થયેલ છે.જેતે સમયે ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીને ધર સામે ન બેસવા ઠપકો આપેલ હોય અને આ કામના ફરીયાદી આ કામના આરોપીના ધર પાસે બનાવના સમયે બનાવવાળી જગ્યાએ જતા આરોપીઓએ કુહાડી, પાઇપ, તલવાર વડે ફરીયાદી પરીવાર ઉપર હુમલો કર્યો હતો.મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગુનો નોંધીને આરોપીઓ તરીકે જીજ્ઞેશ ઉર્ફે કાનો ગોવીંદભાઈ રાવા (ભરવાડ), વિજય ગોવીંદભાઈ રાવા, મહેશ ગોવીંદભાઈ રાવા, બાબુ ગોવીંદભાઈ રાવાની ધરપકડ કરેલ હતી.

જેમા આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી.આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નાદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ રાખેલ.બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટ નુ જજમેન્ટ સંજયચંદ્ર વિ. સી.બી.આઈ. ને ધ્યાને લઈ આરોપીઓને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી.મોઘરીયા, સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, શાલીની જેઠલોજા રોકાયેલા હતા.






Latest News