મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: ટંકારાના કલ્યાણપરમાં હાર્ટ એટેકથી આધેડનું મોત


SHARE











મોરબીમાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: ટંકારાના કલ્યાણપરમાં હાર્ટ એટેકથી આધેડનું મોત

મોરબીની અણીયારી ચોકડી નજીક આવેલ પેપર મીલના કારખાનામાં કામ કરતાં શ્રમિકને પેટમાં અચાનક દુખાવો પડતાં સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે ટંકારાના કલ્યાણપર ગામે રહેતા આધેડ ઘરના ફળિયામાં ઊભા હતા ત્યારે હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજ્યું હતું

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં અણીયારી ચોકડી નજીક આવેલ લેમીટ પેપર મિલ ખાતે રહેતા અને મજૂરી કામ કરતા સુનિલકુમાર લક્ષ્મીપ્રસાદ વિશ્વકર્મા (38)ને ગત તા 4/8 ના રોજ અચાનક પેટમાં દુખાવો ઉપાડતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈ અતુલભાઇ લક્ષ્મીપ્રસાદ વિશ્વકર્મા (38) રહે. મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ ઉપર આઈસાબા પીરની દરગાહ પાસે રહેતા ફતેમામદભાઇ મુસાભાઇ જસરાયા (57) નામના આધેડ ઘરના ફળિયામાં ઊભા હતા ત્યારે હાર્ટ એટેક આવી જવાના કારણે તે વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News