ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિને 10 વર્ષની સજા, સાસુ-નણંદ-દિયરનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિને 10 વર્ષની સજા, સાસુ-નણંદ-દિયરનો નિર્દોષ છુટકારો

મોરબીમાં રહેતી પરિણીતાઆપઘાત કર્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો અને તેમાં કોર્ટે આધાર પુરાવાઓ અને સરકારી વકીલની દલીલને ધ્યાને રાખીને મૃતક મહિલાના પતિને 10 વર્ષની સજા ફટકારી છે અને સાસુ, નણંદ અને દિયરને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવાનો આડેધ કર્યો છે.

કેસની મળતી માહિતી મુજબ ગત તા. 27/5/18 ના રોજ મોરબીમાં રોહીદાસપરા પાસે આવેલ  ભીમરાવનગરમાં રહેતા બીપીનભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (ઉ.વ.૨૯) વાળાએ તેના બનેવી ધર્મેન્દ્ર ઉર્ફે મથુરદાસ પોપટ, સાસુ રંજનબેન પોપટ, નણંદ ચાંદની અને દિયર રાહુલ પોપટ રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે તેઓના બહેન લલીતાબેને ધર્મેન્દ્ર પોપટ સાથે લગ્ન કર્યા હતા અને સંતાન ન થતું હોવાથી તેને મેણાટોણા મારી સાસરિયાઓ હેરાન કરતાં હતા જેથી લલીતાબેને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો જે કેસ મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરિયાદી પક્ષે 9 સાહેદો તપાસી તેમજ સરકાર પક્ષે 23 પુરાવા રજુ કરવામાં આવ્યા હતા અને જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી પતિ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ મથુરાદાસ પોપટને પત્નીને મારવા માટે મજબૂર કરવાના ગુનામાં 10 વર્ષની સખ્ત કેદની સજા અને કુલ મળીને 20 હજારનો દંડ કર્યો હતો. તેમજ આ કેસમાં મૃતક મહિલાના સાસુ રંજનબેન મથુરાદાસ પોપટ, નણંદ ચાંદનીબેન મથુરાદાસ પોપટ અને દિયર રાહુલ મથુરદાસ પોપટને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.






Latest News