મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિને 10 વર્ષની સજા, સાસુ-નણંદ-દિયરનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિને 10 વર્ષની સજા, સાસુ-નણંદ-દિયરનો નિર્દોષ છુટકારો

મોરબીમાં રહેતી પરિણીતાઆપઘાત કર્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો અને તેમાં કોર્ટે આધાર પુરાવાઓ અને સરકારી વકીલની દલીલને ધ્યાને રાખીને મૃતક મહિલાના પતિને 10 વર્ષની સજા ફટકારી છે અને સાસુ, નણંદ અને દિયરને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવાનો આડેધ કર્યો છે.

કેસની મળતી માહિતી મુજબ ગત તા. 27/5/18 ના રોજ મોરબીમાં રોહીદાસપરા પાસે આવેલ  ભીમરાવનગરમાં રહેતા બીપીનભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (ઉ.વ.૨૯) વાળાએ તેના બનેવી ધર્મેન્દ્ર ઉર્ફે મથુરદાસ પોપટ, સાસુ રંજનબેન પોપટ, નણંદ ચાંદની અને દિયર રાહુલ પોપટ રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે તેઓના બહેન લલીતાબેને ધર્મેન્દ્ર પોપટ સાથે લગ્ન કર્યા હતા અને સંતાન ન થતું હોવાથી તેને મેણાટોણા મારી સાસરિયાઓ હેરાન કરતાં હતા જેથી લલીતાબેને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો જે કેસ મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરિયાદી પક્ષે 9 સાહેદો તપાસી તેમજ સરકાર પક્ષે 23 પુરાવા રજુ કરવામાં આવ્યા હતા અને જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી પતિ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ મથુરાદાસ પોપટને પત્નીને મારવા માટે મજબૂર કરવાના ગુનામાં 10 વર્ષની સખ્ત કેદની સજા અને કુલ મળીને 20 હજારનો દંડ કર્યો હતો. તેમજ આ કેસમાં મૃતક મહિલાના સાસુ રંજનબેન મથુરાદાસ પોપટ, નણંદ ચાંદનીબેન મથુરાદાસ પોપટ અને દિયર રાહુલ મથુરદાસ પોપટને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.






Latest News