મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના બુટવડામાં માલીકીની જમીન ઉપર દબાણ કરનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE













હળવદના બુટવડામાં માલીકીની જમીન ઉપર દબાણ કરનારા બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

હળવદમાં રહેતા યુવાનની બુટવડા ગામની સીમમાં જમીન આવેલ છે જેના ઉપર વેગડવાવ ગામના બે શખ્સોએ દબાણ કરી લીધે છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં બંને શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદમાં આવેલ ભાડીયાકુવા પાસે બસ સ્ટેન્ડ રોડ ઉપર રહેતા વિજયકુમાર વ્રજલાલ અનડકટ જાતે ઠક્કર (ઉ.વ.૪૨)એ વિરજીભાઈ અમરશીભાઈ દલવાડી અને ઠાકરશીભાઈ વિરજીભાઈ દલવાડી રહે. બંને વેગડવાવ તાલુકો હળવદ વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૦૨ થી આજદિન સુધી હળવદ તાલુકાનાં બુટવડા ગામની સીમમાં આરોપી વિરજીભાઈ અમરશીભાઈ દલવાડીએ તેઓની માલીકીની બુટવડા ગામની સીમના રેવન્યુ સવૅ નં.૧૨૯ પૈકી ૧ વાળી જમીન હે.આર.ચો.મી. ૨-૫૪-૯૫ વાળી જમીન પર ગેર કાયદેસર કબજો કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી છે અને ઠાકરશીભાઈ વિરજીભાઈ દલવાડીએ બુટવડા ગામની સીમના રેવન્યુ સવૅ નં.૧૨૯ પૈકી ૨ વાળી જમીન હે.આર.ચો.મી. ૨-૫૪-૯૫ વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે અને તે કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી  છે જેથી યુવાનને બંને શખ્સોની સામે જુદીજુદી ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં બંનેની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીઑને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News