રાજયના મંત્રી બ્રિજેશ મેરજાએ પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઇની નાદુરસ્ત તબિયતની પૃચ્છા કરી
મોરબી અને માળીયા તાલુકાનાં ખેડૂતોને ઘોડાધ્રોઇ ડેમમાથી સિચાઈ માટે પાણી મળશે
SHARE
મોરબી અને માળીયા તાલુકાનાં ખેડૂતોને ઘોડાધ્રોઇ ડેમમાથી સિચાઈ માટે પાણી મળશે
મોરબી અને માળીયા તાલુકાનાં રાપર, જેતપર, માણાબા અને સુલતાનપુર ગામના ખાતેદાર ખેડૂતને સિચાઈ માટે પાણી માટે તે જરૂરી છે ત્યારે ખેડૂતોના વ્યાપક હિતમાં મોરબી જીલ્લામાં આવેલ ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનામાંથી નદી મારફતે ખેડૂતોને પાણી મળે તે માટે રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ હાલમાં પણી છોડાવ્યું છે
દેશના તાત એવા ખેડૂતોની આવક બમણી કરવાની નેમ બતાવતાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની નેમને સાચા અર્થમાં સાર્થક કરવા મોરબી જિલ્લામાં આવેલ ઘોડાધ્રોઇ સિંચાઇ યોજના હેઠળ આવતાં રાપર, જેતપર, માણાબા અને સુલતાનપુરના ખાતેદાર ખેડૂતોને સમયસર અને પૂરતાં પ્રમાણમાં સિંચાઇ માટે પૂરતુ પાણી મળી રહે તે માટે ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનામાંથી નદીમાં પાણી છોડવવા સતત અને નિરંતર ખેવના રાખતા પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીના કાર્યાલયથી લઇને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલના કાર્યાલય સુધી સતત સંપર્કમાં રહી ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનામાંથી નદીમાં પાણી છોડવવા અંગેની મંજુરી મેળવી છે અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાના પ્રયાસોને સફળતા મળતાં મોરબી ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા બ્રિજેશ મેરજાની પ્રસંશા સાથે સરાહના કરવામાં આવી છે અને શુભેચ્છા સાથે અભિનંદન આપવામાં આવેલ છે