મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા તાલુકાનાં ખેડૂતોને ઘોડાધ્રોઇ ડેમમાથી સિચાઈ માટે પાણી મળશે


SHARE











મોરબી અને માળીયા તાલુકાનાં ખેડૂતોને ઘોડાધ્રોઇ ડેમમાથી સિચાઈ માટે પાણી મળશે

મોરબી અને માળીયા તાલુકાનાં રાપર, જેતપર, માણાબા અને સુલતાનપુર ગામના ખાતેદાર ખેડૂતને સિચાઈ માટે પાણી માટે તે જરૂરી છે ત્યારે ખેડૂતોના વ્યાપક હિતમાં મોરબી જીલ્લામાં આવેલ ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનામાંથી નદી મારફતે ખેડૂતોને પાણી મળે તે માટે રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ હાલમાં પણી છોડાવ્યું છે

દેશના તાત એવા ખેડૂતોની આવક બમણી કરવાની નેમ બતાવતાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની નેમને સાચા અર્થમાં સાર્થક કરવા મોરબી જિલ્લામાં આવેલ ઘોડાધ્રોઇ સિંચાઇ યોજના હેઠળ આવતાં રાપર, જેતપર, માણાબા અને સુલતાનપુરના ખાતેદાર ખેડૂતોને સમયસર અને પૂરતાં પ્રમાણમાં સિંચાઇ માટે પૂરતુ પાણી મળી રહે તે માટે ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનામાંથી નદીમાં પાણી છોડવવા સતત અને નિરંતર ખેવના રાખતા પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીના કાર્યાલયથી લઇને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલના કાર્યાલય સુધી સતત સંપર્કમાં રહી ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનામાંથી નદીમાં પાણી છોડવવા અંગેની મંજુરી મેળવી છે અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાના પ્રયાસોને સફળતા મળતાં મોરબી ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા  બ્રિજેશ મેરજાની પ્રસંશા સાથે સરાહના કરવામાં આવી છે અને શુભેચ્છા સાથે અભિનંદન આપવામાં આવેલ છે






Latest News