મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરી શરૂ કરવા રમેશભાઈ રબારીની માંગ


SHARE











મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરી શરૂ કરવા રમેશભાઈ રબારીની માંગ

મોરબીમાં રેશનકાર્ડ અને તેના આનસંગિક જરૂરી કામકાજ માટે હાલમાં લાલબાગમાં સુધી જવું પડે છે જો કે, મોરબીમાં છેલ્લા ઘણા સમયથી શહેર અને તાલુકા મામલતદાર કાચેરી અલગ કરી નાખવામાં આવી છે પરંતુ આજની તારીખે પણ લોકોને રેશનકાર્ડ કામગીરી માટે સામાકાંઠે જવું પડે છે જેથી લોકોને હેરાન થવું પડે છે માટે આ હાલાકીને દૂર કરવાની માંગ કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા હાલમાં કલેક્ટરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબી સિટી મામલતદાર કચેરી અલગ કરવામાં આવી છે જો કે, રેશનકાર્ડની કામગીરી માટે લોકોને તાલુકા મામલતદાર કચેરીએ જ જવું પડે છે જેથી ત્યાં ગીર્દી થાય છે અને અજદરારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આટલું જ નહીં સરકારી તંત્રમાં પણ જવાબદાર લોકો દ્વારા યોગ્ય પ્રતિભાવ મળતો નથી ત્યારે મોરબી શહેરનાં લાભાર્થીઓ માટેની કાર્યવાહી શહેર મામલતદાર કચેરી વી.સી. ફાટક કચેરીમાં આવેલ છે ત્યાં રેશનકાર્ડની કામગીરી કરી શકાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરેલ છે

જો તાલુકા અને શહેરની અલગ વ્યવસ્થા કરવામાં આવે તો શહેરી વિસ્તારનાં લાભાર્થીઓની સગવડતામાં વધારો થાય તેમ છે અને લોકોને લાલબાગના ધકકા થાય છે તે બંધ થઈ જાય તેમ છે અને પુરવઠા વિભાગ અનાજ વિક્રેતાઓને પણ નિયમ મુજબ પુરવઠો આપતો નથી દસ કિલોની બદલીમાં આઠ કિલો અને વીસ કિલોની જગ્યાએ ચૌદ કિલો અનાજ અપાય છે અને તેની પહોંચ પણ આપતા ન હોઈ, લાભાર્થીઓ સાથે છેતરપીંડી થાય છે જેની પણ ચકાસણી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી કરેલ છે અને લાભાર્થીઓને અનાજ મેળવવા માટે જરૂરી અંગુઠા લેવા બબ્બે ત્રણ-ત્રણ દિવસ ધકકા થાય છે તે હાલાકીને પણ દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News