મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-મિશન નવભારત સંગઠનના આગેવાનોએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી


SHARE













મોરબીમાં વિહિપ-મિશન નવભારત સંગઠનના આગેવાનોએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લાના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના સુપુત્ર જયાદિત્યસિંહ જાડેજા ના જન્મદિવસ નિમિત્તે પાશ્ચાત્ય સંસ્કૃતિ તથા આધુનિકતાથી દુર રહી ને ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ ગાયત્રી હવન કરી તથા શંકર આશ્રમ પાસે આવેલ શ્રી બાજીરાજબા વૃધ્ધાશ્રમ તથા શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃધ્ધાશ્રમમાં પવિત્ર શ્રાવણ માસને અગિયારસના દિવસે જન્મદિવસની વડીલોની વચ્ચે ઉજવણી કરી ફરાળ કરાવી તેમના આશીર્વાદ મેળવીઆ તથા પ્રેરણાદાયી ઉજવણી કરી  સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ મિશન નવભારત સંગઠનની વિચારધારા રાષ્ટ્ર દેવો ભવ, બાળ દેવો ભવને ધ્યાને લઈ પવિત્ર શ્રાવણ માસની બારસ કે જે શાસ્ત્ર મુજબ બાળકો  માટે ની હોય છે એ ધ્યાને લઈ મિશન નવભારત સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ અમુલભાઈ જોષીએ શ્રી બંધુનગર પ્રાથમિક શાળાના તમામ બાળકોને ચેવડાનો અલ્પાહાર કરાવ્યો હતો. મિશન નવભારત સંગઠન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ આહવાન મુજબ રાષ્ટ્ર હિત, સમાજ સેવાની પ્રવૃત્તિઓ સાથે સતત સંકળાયેલ છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં પણ લોકો વિવિધ સેવાકાર્યો દ્વારા માનવતાની જયોત જગાવતા રહે  એવો મિશન નવભારત સંગઠનનો પ્રેરક સંદેશ છે.






Latest News