મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અધિકારીની બેદરકારીના લીધે સસ્તા અનાજની ઘણી દુકાનો બંધ !?


SHARE











મોરબી જીલ્લામાં અધિકારીની બેદરકારીના લીધે સસ્તા અનાજની ઘણી દુકાનો બંધ !?

મોરબી જિલ્લામાં ઘણી સસ્તા અનાજની દુકાનો બંધ છે અને ૬ મહિના થયા દુકાનદાર ગુજરી ગયા છે છતાં નવી દુકાન ખોલવાની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી ? તો ક્યા કારણોસર નવી દુકાન ખોલવાની કાર્યવાહી કરવામાં આવતી નથી ? તેવી સવાલ પી.પી. જોશીએ ઉઠાવ્યો છે

મોરબી જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષાના સભ્ય પી.પી.જોશીએ જણાવ્યુ છે કે, મોરબીમાં સસ્તા અનાજની ઘણી હાલમાં ખાલી જગ્યા છે જેમાં કેટલાક દુકાનદાર અવસાન પામેલ છે તો અમૂકે રાજીનામું આપેલ  છે અને કેટલાક લાંબી રજા ઉપર છે જેથી ઘણી દુકાનો બંધ છે અને ઘણા ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કિમી સુધી ગ્રાહકને વસ્તુ લેવા જવું પડે છે તો આવી ખાલી પડેલ જગ્યાનું દુકાનનું જાહેરનામું બહાર પાડવું જોઈએ જેથી કોઈ બેરોજગાર કે વિધવા લાભ લઇ શકે અને સરકાર બેરોજગારને રોજગાર આપવા તત્પર છે પરંતુ અધિકારીની અનઆવડત કે બેદરકારીને કારણે આ લાભ બેરોજગાર સુધી પહોંચતો નથી અને અહી પ્રશ્ન એ થાય છે કે દુકાનોનું જાહેરનામુ શા માટે બહાર પાડવામાં આવતું નથી ? સરકારી નિયમોનુસાર કોઈ દુકાનદાર રાજીનામું આપે અથવા અવસાન થાય તો આવી દુકાનનું તુરત નિયમોનુસાર જાહેરનામું બહાર પાડી અરજીઓ મંગાવી દુકાન ચાલુ કરવાની હોય છે પરંતુ મોરબી જિલ્લામાં છેલ્લા ૬ મહિના થયા દુકાનદાર ગુજરી ગયા છે છતાં હાલમાં નવી દુકાન ખોલવાની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી ? ક્યા કારણોસર નવી દુકાન ખોલવાની કાર્યવાહી કરવામાં આવતી નથી ? તે પણ તપાસનો વિષય છે તો આવી અસંખ્ય દુકાનો ખોલવાની કાર્યવાહી કરવી જોઈએ જેથી કોઈ બેરોજગારોને રોજગારી મળે તેમ છે






Latest News